SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ આહારકગ્રહણયોગ્ય જ0વર્ગણાના એક સ્કંધમાં જેટલા પરમાણુ હોય છે. તેનાથી તેનો અનંતમોભાગ પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની ઉ૦વર્ગણા થાય છે. એ અનંતમાભાગમાં અનંતપરમાણુ હોવાથી જ વર્ગણાથી માંડીને ઉ0વર્ગણા સુધીની અનંતવર્ગણા થાય છે. અસત્કલ્પનાથી.... આહારકગ્રાહ્ય જ0વર્ગણાના એક સ્કંધમાં ૧૦૨૧૧૧૨૦૦૦+૧= ૧૦૨૧૧૧ ૨૦૦૧ પરમાણુ હોય છે અને જ0વર્ગણાના એક સ્કંધમાં રહેલા ૧૦૨૧૧૧૨૦૦૧ પરમાણુને અનંત=૧00થી ભાગાકાર કરતાં ૧૦૨૧૧૧૨૦ આવે છે. એટલે આહારકગ્રાહ્ય જઘન્યવર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુનો અનંતમોભાગ=૧૦૨૧૧૧૨૦ પરમાણુ છે. એટલે ૧૦૨૧૧૧૨૦૦૧+૧૦૨૧૧૧૨૦=૧૦૩૧૩૨૩૧૨૧ પરમાણુ ઉ૦વર્ગણાના એક સ્કંધમાં હોય છે. (૭) આહારક અગ્રહણયોગ્યવર્ગણા : આહારક ગ્રહણયોગ્ય ઉ૦વર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુથી એક-એક પરમાણુ વધારે હોય એવા સ્કંધના સમૂહની પહેલી, જિઘન્ય], બીજી, ત્રીજી વગેરે અભવ્યથી અનંતગુણીવર્ગણા થાય છે. તે વર્ગણામાં રહેલા કંધો જીવને આહારકશરીર બનાવવા માટે સૂક્ષ્મ પડે છે અને તૈજસશરીર બનાવવા માટે પૂલ પડે છે. તેથી તે સ્કંધને જીવ ગ્રહણ કરતો નથી. એટલે તે અને તીવર્ગણાના એ કવિભાગને આહારકશરીરને માટે અગ્રહણયોગ્ય સાતમીવર્ગણા કહી છે. આહારક અગ્રહણયોગ્ય જ0વર્ગણાના એક સ્કંધમાં રહેલા પરમાણુને અભવ્યથી અનંતગુણરાશિથી ગુણતા જેટલા પરમાણુ થાય છે. તેટલી અગ્રહણયોગ્યવર્ગણા હોય છે. એટલે અભવ્યથી અનંતગુણી અગ્રહણયોગ્યવર્ગણા થાય છે. . અસત્કલ્પનાથી.... આહા)અગ્રાહ્ય જ0વર્ગણાના એક, સ્કંધમાં ૧૦૩૧૩૨૩૧૨૧+ ૧=૧૦૩૧૩૨૩૧૨૨ પરમાણુ હોય છે અને ઉ૦વર્ગણાના એક સ્કંધમાં ૧૦૩૧૩૨૩૧૨૨૪૧૦૦૦=૧૦૩૧૩૨૩૧૨૨000 પરમાણુ હોય છે. * ૨૫૯
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy