SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રનં૦૧૦માં બતાવ્યા મુજબ જે યોગાનકમાં જીવ ૮ સમય સુધી રહી શકે છે. તે યોગસ્થાનકો સૌથી થોડા અિસંખ્ય છે. તેનાથી તેની બન્ને બાજુના સમયવાળા અસંખ્યગુણ છે. પરસ્પર સરખા છે.] તેનાથી તેની બન્ને બાજુના ૬સમયવાળા અસંવગુણ છે. [પરસ્પર સરખા છે.] તેનાથી તેની બન્ને બાજુના ૫ સમયવાળા અસગુણ છે. પિરસ્પર સરખા છે.] તેનાથી તેની બન્ને બાજુના ૪સમયવાળા અસંચગુણ છે. [પરસ્પર સરખા છે.] તેનાથી ૩સમયવાળા અસંખ્યગુણ છે. તેનાથી રસમયવાળા અસંખ્યગુણ છે. આ અલ્પબહુત્વની અપેક્ષાએ “ડમરૂ”ની આકૃતિ થાય છે. યોગની હાનિ-વૃદ્ધિ : વીયતરાયકર્મના ક્ષયોપશમમાં વધ-ઘટ થવાથી વીર્યવ્યાપારમાં [યોગમાં પણ વધ-ઘટ થયા કરે છે. કોઇક સમયે વીઆંતરાયકર્મના ક્ષયોપશ- . મમાં વધ-ઘટ ન થાય, તો યોગમાં પણ વધ-ઘટ [હાનિ-વૃદ્ધિ] થતી નથી. અપર્યાપ્તા જીવો જ્યાં સુધી અપર્યાપ્ત અવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિસમયે અસંખ્ય ગુણાધિક વીર્યવ્યાપારવાળા યોગસ્થાનકમાં જાય છે. પર્યાપ્યો જીવ જે યોગસ્થાનકમાં રહેલો હોય, તેના બીજા સમયે જો વધતા વીર્યવ્યાપારવાળો હોય, તો “અસંખ્યાતભાગ અધિક” સંખ્યાતભાગ અધિક” “સંખ્યાતગુણ અધિક” “અસંખ્યાતગુણ અધિક”... એ-૪ પ્રકારની વૃદ્ધિમાંથી જે વૃદ્ધિવાળો વીર્યવ્યાપાર હોય, તે વૃદ્ધિવાળા યોગસ્થાનકમાં જીવ જાય છે. અથવા... પર્યાયો જીવ જે યોગસ્થાનકમાં રહેલો હોય, તેના બીજા સમયે જો ઘટતા વીર્યવ્યાપારવાળો હોય, તો “અસંખ્યાતભાગહીન” “સંખ્યાતભાગહીન” “સંખ્યાતગુણહીન” “અસંખ્યાતગુણહીન”.... એ-૪ પ્રકારની હાનિમાંથી જે હાનિવાળો વીર્યવ્યાપાર હોય, તે હાનિવાળા યોગસ્થાનકમાં જીવ જાય છે. જ ૧૭૫
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy