SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યાતમોભાગ ન્યૂન સાગરોપમાદિ સ્થિતિબંધ કરે છે, એટલે અંતર્મુહૂર્તથી પલ્યોઅસંભાગન્યૂન સાગરોપમ અસંખ્યગુણ છે. તેથી તે સ્થિતિબંધ અસંખ્યગુણ કહ્યો છે. તેનાથી સૂક્ષ્મપર્યામા એકેન્દ્રિયનો જ સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી બાદરઅપર્યાપ્તા એકેન્દ્રિયનો જ સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મઅપર્યાપ્તા એકેન્દ્રિયનો જસ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મઅપર્યાપ્તા એકેન્દ્રિયનો ઉ∞સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી બાદરઅપર્યાપ્તા એકેન્દ્રિયનો ઉ0સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મપર્યાપ્તા એકેન્દ્રિયનો ઉ0સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી બાદરપર્યામા એકેન્દ્રિયનો ઉ0સ્થિતિબંધ વિશેષાધિક છે. કારણકે પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં એકેન્દ્રિયના આઠે સ્થિતિબંધો આવી જાય છે. તેથી તે સર્વે વિશેષાધિક છે. પૂર્વે કહ્યા મુજબ એકેન્દ્રિયજીવો સ્વબંધને યોગ્ય કર્મપ્રકૃતિનો જસ્થિતિબંધ કરતાં ઉ સ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક કરે છે. દાત∞ એકેન્દ્રિયજીવો મિથ્યાત્વનો જ સ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગન્યૂન ૧ સાગરોપમ કરે છે અને ઉ૰સ્થિતિબંધ ૧ સાગરોપમ કરે છે એટલે જ સ્થિતિબંધ અને સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું જ અંતર હોય છે. અસલ્પનાથી ૧સાગરોપમ=૧૦૦૦૦સમય પલ્યોપમનો અસં૦ભાગન્યૂન ૧સા૦=૯૮૬૬સમય માનવામાં આવે, તો... ચિત્રમાં બતાવ્યા મુજબ એકેન્દ્રિયજીવોને મિથ્યાત્વના જ૦સ્થિતિબંધથી માંડીને ઉ∞સ્થિતિબંધ સુધીનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ=૧૩૫ સમય થાય છે. તેમાં એકેન્દ્રિયના આઠે સ્થિતિબંધનો સમાવેશ થઇ જાય છે. ૧૪૬
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy