SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ, ઉદ્યોતચતુષ્ક, અને નરકત્રિક...... એ ૧૬ કર્મપ્રકૃતિને બાંધતા નથી. તેથી શુકુલલેશ્યામાર્ગણામાં ઓથે એકેન્દ્રિયાદિ-૧૬ વિના-૧૦૪, મિથ્યાત્વે જિનનામ અને આહારકતિક વિના-૧૦૧, સાસ્વાદને નપુંસકચતુષ્ક વિના-૯૭, મિથે-૭૪, સમ્યત્વે-૭૭, દેશવિરતિગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩, અપ્રમત્તેપ૯ કે ૧૮, અપૂર્વકરણે ૫૮, પ૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણે ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, સૂક્ષ્મસંઘરાયે-૧૭ અને ૧૧થી૧૩ ગુણઠાણા સુધી એક જ શાતાવેદનીય બંધાય છે. પૂ.જીવવિજયજીમહારાજકૃત ટબામાં કહ્યું છે કે, ગ્રન્થકારભગવંતે શુકલલેશ્યાના બંધસ્વામિત્વમાં ઉદ્યોતચતુષ્કનો બંધ કેમ નથી કહ્યો? કારણકે તત્ત્વાર્થ અને બૃહત્સંગ્રહણીમાં કહ્યું છે કે, લાંતકનામના છઠ્ઠા દેવલોકથી અનુત્તર સુધીના દેવો શુકલેશ્યાવાળા હોય છે અને આ ગ્રન્થમાં ગાથા નં.૧૧માં કહ્યાં મુજબ છઠ્ઠા-સાતમા-આઠમા દેવલોકના દેવો તિર્યચપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી ઉદ્યોતચતુષ્કને બાંધે છે. તો પછી ગાથા નં.૨૨માં ગ્રન્થકારભગવંત શુકલેશ્યામાર્ગણામાં ઉદ્યોતચતુષ્કનો બંધ કેમ નથી કહ્યો ? આ શંકાનું સમાધાન કરતાં પં. ભગવાનદાસભાઈના વિવેચનમાં કહ્યું છે કે, આનતાદિ દેવલોકના દેવો અત્યંત વિશુદ્ધ શુકૂલલેશ્યાવાળા હોવાથી, ઉદ્યોતચતુષ્કને બાંધતા નથી. અને લાંતકથી સહસાર સુધીના દેવો મંદશુકુલલેશ્યાવાળા હોવાથી, તિર્યચપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી ઉદ્યોતચતુષ્કને બાંધી શકે છે. એટલે ગ્રીકારભગવંતે શુકલેશ્યામાર્ગણામાં અત્યંત વિશુદ્ધ શુકલેશ્યાની અપેક્ષાએ બંધસ્વામિત્વા કહ્યું હોય, તો ઉદ્યોતચતુષ્કનો બંધ સંભવતો નથી. છતાં પણ આ બાબતમાં બહુશ્રુત જાણે. ૩૩. પતિ-પશુવર્નન્ને દિ-વિશેષ સારસા તત્ત્વાર્થ વતિય પહલા, સંતાકુ સુવવક્સેલ ફુતિ સૂE Iબ્ધ II (બૃહત્સંગ્રહણી)
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy