SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ તેઉકાય અને વાઉકાય મરીને નિયમા તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે તેથી તે તિર્યંચભવને યોગ્ય કર્મપ્રકૃતિને બાંધે છે પણ દેવનરક કે મનુષ્યભવને યોગ્ય કર્મપ્રકૃતિને બાંધતા નથી. તેથી દેવત્રિક, વૈક્રિયદ્રિક, નરકત્રિક અને મનુષ્યત્રિક બંધાતું નથી અને તિર્યંચગતિની સાથે નિયમા નીચગોત્ર જ બંધાય છે. ઉચ્ચગોત્ર બંધાતું નથી. અને ગતિત્રસજીવોને એક જ મિથ્યાત્વગુણઠાણુ હોય છે. તે સાસ્વાદનાદિ ગુણઠાણે જઈ શક્તો નથી. તેથી તીર્થંકર નામકર્મ અને આહારકદ્ધિક બંધાતું નથી. એટલે તેઉકાય અને વાઉકાયમાર્ગણામાં ૧૨૦માંથી દેવત્રિક, વૈક્રિયદ્ધિક, નરકત્રિક, મનુષ્યત્રિક, ઉચ્ચગોત્ર, જિનનામ અને આહારકદ્રિક. એ ૧૫ વિના ૧૦૫ કર્મપ્રકૃતિ ઓધે અને મિથ્યાત્વે બંધાય છે. -: ગતિત્રસ જીવોમાં બંધસ્વામિત્વ - | ગુણસ્થાનકનું નામ | શા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ ઓથે ૫ | ૯ ૨ ૨૬ ૧ ૫૬ ૧ પ|૧૦૫ | મિથ્યાત્વગુણ૦ | ૫ | ૯ ૨૫ ૨૬ ૧ પ૬ ૧ ૧૦૫ યોગમાર્ગણામાં બંધસ્વામિત્વ - યોગ-૩ પ્રકારે છે. (૧) મનોયોગ (૨) વચનયોગ અને (૩) કાયયોગ.. તેના પેટાભેદ (૧) સત્યમનોયોગ (૨) અસત્યમનોયોગ (૩) સત્યાસત્યમનોયોગ (૪) અસત્ય-અમૃષામનોયોગ (૫) સત્યવચનયોગ (૬) અસત્યવચનયોગ (૭) સત્યાસત્યવચનયોગ (૮) અસત્ય-અમૃષાવચનયોગ (૯) ઔદારિકકાયયોગ (૧૦) ઔદારિક (૧૭)તિર્યંચગતિ + જાતિ-૫ + શ૦૩ (ઔ૦, તૈ૦, ક0) + અં૦ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + તિર્યંચાનુપૂર્વી + વિહા૦૨ + પ્રત્યેક૭ (જિનનામ વિના) + ત્રણ-૧૦ + સ્થા૦૧૦ =૫૬ ૫૫
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy