SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ એ ૬૨ માર્ગણાનું પણ વર્ગીકરણ કરીને, “સર્વે સંસારી જીવોનો એક-એક વિભાગમાં સમાવેશ થઇ જાય” એ રીતે, તે સર્વેનો (૬૨ માર્ગણાનો) પણ કુલ ૧૪ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. તેને શાસ્ત્રમાં “મૂળ માર્ગણા” કહે છે. એટલે મૂળમાર્ગણા કુલ “૧૪” કહી છે. તેના પેટાભેદ કુલ ૬૨ થાય છે. માર્ગણા) (૧) ગતિમાર્ગણા : સુખ-દુઃખના ઉપભોગને યોગ્ય જે અવસ્થા (પર્યાય)ની પ્રાપ્તિ થાય છે, તે ગતિ કહેવાય છે. તેનું કારણ ગતિનામકર્મ છે. . (1) નરકગતિ નામકર્મના ઉદયથી જીવને જે પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે નરકગતિ કહેવાય. (2) તિર્યંચગતિનામકર્મના ઉદયથી જીવને જે પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે તિર્યંચગતિ કહેવાય. (3) મનુષ્યગતિ નામકર્મના ઉદયથી જીવને જે પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે મનુષ્યગતિ કહેવાય. (4) દેવગતિ નામકર્મના ઉદયથી જીવને જે પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે દેવગતિ કહેવાય. (૨) ઇન્દ્રિયમાર્ગણા : (1) જેનાથી ઠંડી-ગરમી વગેરે સ્પર્શને અનુભવી શકાય છે, તે સ્પર્શનેન્દ્રિય કહેવાય છે અને જે જીવ એક જ સ્પર્શનેન્દ્રિયવાળો હોય છે, તે એકેન્દ્રિય કહેવાય. (2) જેનાથી ખાટો-મીઠો વગેરે રસને અનુભવી શકાય છે, તે રસનેન્દ્રિય કહેવાય છે અને જે જીવ બે જ ઇન્દ્રિયવાળો (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિયવાળો) હોય છે, તે બેઇન્દ્રિય કહેવાય. (3) જેનાથી સુગંધ-દુર્ગંધને અનુભવી શકાય છે, તે ઘ્રાણેન્દ્રિય કહેવાય ૧૦
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy