SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । ॥ શ્રી ભદ્રૐૐકારચંદ્રયશગુરૂભ્યો નમઃ । ॥ મૈં નમઃ । કર્મસ્તવનામદ્વિતીયકર્મગ્રન્થ મંગલાચરણ : तह थुणिमो वीरजिणं, जह गुणठाणेसु सयलकम्माई । બંધુ-ઓ-વીરયા, સત્તાપત્તાળિ સ્ત્રવિયાનિ || o || तथा स्तुमो वीरजिनं, यथा गुणस्थानेषु सकलकर्माणि । વન્યોન્ય-દ્દીરાસત્તા, પ્રાપ્તાનિ ક્ષપિતાનિ ॥ 1 || ગાથાર્થ :- જે રીતે, મહાવીરજિનેશ્વરે ગુણસ્થાનકોમાં ચઢતી વખતે બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં પ્રાપ્ત થયેલા સકલકર્મોનો નાશ કર્યો છે. તે રીતે, અમે મહાવીર જિનેશ્વરની સ્તુતિ કરીએ છીએ... વિવેચન :- ગ્રન્થકારભગવંત શ્રીદેવેન્દ્રસૂરિમહારાજા‘શ્રુĪિમો વીનિĪ'' પદથી આસન્ન ઉપકારી શ્રીમહાવીર જિનેશ્વરની સ્તુતિ કરવા દ્વારા મંગલાચરણ કરી રહ્યાં છે. અને ‘“સયલમ્મારૂં વિયાળિ'' પદ દ્વારા અપાયાપગમાતિશય ગુણનું સૂચન કરી રહ્યાં છે. રાગાદિભાવકર્મ અને તેના કારણભૂત દ્રવ્યકર્મ... અપાય = અપગમ = નાશ... અપાયાપગમાતિશય સકલકર્મોનો ક્ષય. દ્રવ્યકર્મ અને ભાવકર્મનો નાશથવારૂપ જે અતિશય છે તે “અપાયાપગમાતિશય’” કહેવાય. તે મહાવીરસ્વામીનો અસાધારણ ગુણ છે. તેથી ગ્રન્થકારભગવંત ગ્રન્થની શરૂઆતમાં ‘‘સયલમ્માડું.... સ્વવિયાળિ'' પદથી મહાવીરસ્વામીના સકલકર્મક્ષયરૂપ અસાધારણગુણની સ્તુતિ કરી રહ્યાં છે. = કોઈપણ વ્યક્તિના અસાધારણગુણનું કહેવું, તે સ્તુતિ કહેવાય. જેમકે, અહીં ગ્રન્થકાર ભગવંતશ્રી મહાવીરસ્વામીના સકલકર્મક્ષયરૂપ અસાધારણગુણને કહી રહ્યાં છે સ્તુતિ કહેવાય. ૬૧
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy