SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગિતા. - ૨૫ હતો. ટકાર વિગેરે ચાર મૂર્ધન્ય [ ટ, ઠ, ડ, ઢ], તૃતીય સિવાયના ઊષ્માક્ષર ૩ [શ, ષ અને હ] અને ક્ષકાર.” સંભળાય છે કે સૂરસેનદેશમાં કુવિંદ નામે રાજા થઈ ગ, તેણે પરુષ ( કઠણ-કઠેર) સાગવાળા અક્ષરેને વર્લ્ડ પિતાના અંતઃપુરમાં જ નિયમ પ્રવર્તાવ્યું હતું.” ઉપર્યુક્ત શિશુનાગ રાજા લગભગ અઢીહજાર વર્ષ પહેલાં થયેલો જણાય છે. કારણ કે તેના વંશમાં થયેલ વંશજ બિંબિસાર (સંભાસાર-શ્રેણિક) રાજા, ગૌતમ બુદ્ધ અને મહાવીરને સમકાલિન મનાય છે, તેવા અનેક ઉલ્લેખ મળે છે. પૂર્વોત માગધી અને શૌરસેની સાથે ગાઢ સંબંધ ધરાવતી અને તે કરતાં પણ વધારે મહત્ત્વવાળી પ્રાકૃતભાષાને પ્રકૃતિમધુર, મૃદુ, સરલ, સુબોધ અને સર્વોપકારક સમજી, તેની ઉપયોગિતા વિચારી પૂર્વે થયેલા અનેક રાજા-મહારાજાઓએ તેને પ્રચાર કરવા ઉચિત પ્રયત્ન કર્યા હતા. તેમાં શકસંવતના પ્રવર્તક મનાતા સાતવાહન(હાલ-શાલિવાહન)નું નામ પ્રથમ લઈ શકાય. પ્રાકૃતપિંગલના વ્યાખ્યાકાર લક્ષ્મીધર તે તેને પ્રાકૃતના આદિકવિ તરીકે ઓળખાવે છે. કવિ રાજશેખર, કાવ્યમીમાંસામાં ઉલ્લેખ કરે છે કે–“સંભળાય છે કે કન્તલ__ १ " स्वभवने हि भाषानियमं यथा प्रभुर्विदधाति तथा भवति । भ्रूयते हि मगधेषु शिशुनागो नाम राजा, तेन दुरुच्चाराननष्टौ वर्णानपास्य स्वान्तःपुर एव प्रवर्तितो नियमः । टकारादयश्चत्वारो मूर्धन्यास्तृतीयवर्जમૂષ્માપુરાયઃ સવતિ | | સૂતે જ સૂરસેનેy gવન્ડો નામ રાગ તેને પસંચારઅન્નપુર પ્રતિ સમાજે પૂર્વેળ” –કાવ્યમીમાંસા [ પૃ. ૫૦]
SR No.032396
Book TitlePrakrit Bhashani Upayogita
Original Sutra AuthorN/A
AuthorLalchandra B Gandhi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy