SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન एवं विवाहधर्मादौ तथा शिल्पनिरूपणे । न दोषो घुत्तम पुण्य-मित्थमेव विपच्यते ॥ १॥ અર્થાત પુત્રોને રાજ્ય વહેચી આપવાની માફક વિવાહક્રિયા વિગેરેમાં તથા શિલ્પ-શિલ્પકર્માદિ નિરૂપણમાં પણ દોષ નથી પરંતુ પુણ્યનો ભોગવટે એની રીતે થાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે પોપકાર પુણ્યના વિપાકરૂપ હેવાથી ઔદયિક છે, અને દાનાદિરૂપ પરોપકાર તે દાનાદિ અંતરાયના ક્ષય અને ક્ષપશમથી થતો હોવાથી ક્ષાયિક અને ક્ષાપશમિક કહેવાય એટલે એ પરોપકાર ભગવાન શ્રી તીર્થકર જેવાને ઔદયિક પણ હોય અને દાનાદિ રૂપ પોપકાર ક્ષાયિક અને ક્ષાયોપથમિક પણ હેય. પ્રશ્ન ૭૮૧-કવ્ય ઉપકાર કે ભાવ ઉપકાર અથવા તો ઔદવિક ઉપકાર, ક્ષાયિક કે ક્ષાયોપશિમક ઉપકાર અનાદિ હોય કે સાદિ હોય ? અનંત હોય કે સાંત હોય ? - સમાધાન-બન્ને પ્રકારના ઉપકારે આદિવાળા અને અંતવાળા હેય. પરિણામિક ભાવ જે જીવપણું વિગેરે છે તે સિવાય ઔદયિક કે બીજો ભાવ અનાદિ હેયજ નહિ, જો કે મતિ અજ્ઞાન વિગેરે ક્ષાયો પશમિકભાવ છતાં અનાદિ કહેવાય છે, પણ તે પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. અને એવી રીતે પોપકારના કારણરૂપ ઉત્તમ પુણ્ય તો પ્રવાહથી પણ અનાદિ હેય નહિ તથા ક્ષાપશમિકભાવરૂપ ઉપકાર તે સાદિસાંતજ હોય. જે કે દાનાદિલબ્ધિઓ ક્ષાયિકભાવની પણ હોય છે અને ક્ષાયિકભાવ અનાદિને ન હોય, પણ સાદિઅનંત ભાંગે હોય છે. પણ પૂજાપા શ્રીહરિભદ્રસુરિ જેવા સમર્થ ટીકાકારો પણ દાનાદિના ક્ષાયિકભાવને ક્ષાયિપણું છતાં સાદિ અનંત નહિ માનતાં સાદિસાંતજ માને છે અને તેના કારણમાં એમ જણાવાય છે કે દાનઆદિને પ્રસંગ હોય તો ત્યાં ક્ષાવિકભાવ હેવાથી તે દાનાદિના અંતરાયે ન નડે અને તેથી
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy