SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) અથથી ઇતિ સુધીના આપત્તિ પ્રસંગે રક્ષણના ઉપાયે અને ઉત્સર્ગ અપવાદોથી ભરપૂર તે છેદસૂત્ર છે. પ્રશ્ન ૪૪–નિગોદમાં રહેલે જીવ, સિદ્ધદશામાં રહેલ છવ, એકેન્દ્રિયજીવ, અગર પંચેન્દ્રિયજીવ. અગર તીર્થંકરદેવને જીવ, જીવત્વપણમાં તે સરખા છે. છતાં પાપબંધમાં ઓછાવત્તાપણું કેમ માન્યું? સમાધાન-દરેકે દરેક જીવમાં જીવત્વ સરખું છે. પરંતુ પુણ્યશકિત અને સ્વ–પર–આત્મશક્તિવિકાસના સાધન અને સામગ્રીના નાશને લીધે પાપ વિગેરેના બંધમાં ઓછા-વત્તાપણું માનેલ છે. ૪૫-ધમ કરવાનું કહે છે પણ મારે ભોગાવળીને ઉદય છે એ અમારે બચાવ રીતસરને છે? ભાવી બનવાનું હશે તે બનશે, એવું જે બેલાય છે તે વ્યાજબી છે ? સમાધાને–ના, ભાવિભાવના ભક્તો તે ગોશાળા પંથીઓ છે. એટલે ભાવિના ભરૂસે બેસી રહેવાનું નથી, પણ ઉદ્યમ કરવાનો છે, પ્રશ્ન ૪૬–બળાત્કારથી દીક્ષા લેનારને રોકે, અને તેડાવે એ બન્નેમાં પાપ શું ? સમાધાન–પ્રાયઃ ગણધરહત્યાનું પાપ, પણ રોકનાર અને તોડાવનાર તે દીક્ષિતનો સંબંધી હો જોઈએ નહીં. પ્રશ્ન ૪૭–ધર્મબિન્દુમાં દીક્ષા માટે છ માસની પરીક્ષા રાખી છે તેનું શું ? સમાધાન-ધર્મબિન્દુ અને પંચવસ્તુ એ બન્નેના રચયિતા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી છે. ધર્મબિન્દુમાં છ માસની પરીક્ષાનું જે લખેલું છે તે માત્ર સુચનારૂપ છે. અર્થાત-છ માસ પછી જ દીક્ષા દેવાય એવું ધ્વનિત પણ થતું નથી. શ્રી પંચવસ્તુમાં દીક્ષા લીધા
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy