SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૬ ) વાથી પાપકર્મ નથી બંધાતું, એમ કહેવાથી જાણું નહિ કરવામાં પાપકર્મ બંધાય એ વાત સહેજે સમજાય તેવી છતાં પણ, “જયણું બુદ્ધિ વગર ચલનાદિક ક્રિયા કરનારાને પાપ બંધાય છે.” એમ ચેખા શબ્દોમાં જણાવતાં છતાંય જણાવવામાં આવે છે કે-જીવોને બચાવવાની બુદ્ધિ સિવાય, યતના સિવાય ચાલવું વિગેરે ક્રિયા કરનાર મનુષ્ય પ્રાણ અને ભૂતને એટલે કે ત્રસ તથા સ્થાવરને જરૂર હિંસક બને છે. ધ્યાન રાખવાની જરૂર છે કે બચાવવાની બુદ્ધિ વિના પણ થતી ચલનાદિની તમામ ક્રિયામાં પ્રાણ અને ભૂતની હિંસા થાય જ છે (પ્રાણુ અને ભૂતે મરેજ છે.) એમ નથી-એ નિયમ નથી, કેમ કે તેવી બુદ્ધિ ના હેવા માત્રથી ક્રિયામાત્રમાં સર્વ જીવો આવી જાય, મરી જાય, એમ હતું નથી (બનતું નથી), છતાંય શાસ્ત્રકાર મહારાજ તે, તેવી રક્ષા-બુદ્ધિ વિનાની તમામ પ્રવૃત્તિમાં પ્રાણ તથા ભૂતની હિંસા માને છે, એટલે યતના વગરની સર્વ ક્રિયાઓ પ્રાણ અને ભૂતની હિંસામય છે એમ જણાવે છે, અને તેથી નિશ્ચિતપણે સમર્થન કરે છે કે-જયણબુદ્ધિને અભાવ એ જ પ્રાણુ અને ભૂતની હિંસા છે. ચાલવા વગેરેની દરેક ક્રિયાના આરંભ, મધ્ય કે અંત્ય ભાગમાં પણ બચાવવાની બુદ્ધિના અભાવરૂપ અજયણાની સ્થિતિ હેવી જોઈએ નહિ તેથી જ પાપબંધનાં કારણરૂપ જણાવાતા, ચાલવા વિગેરેની દરેક ક્રિયાવાચક શબ્દ સાથે “ઘ” પદ વિશેષણ તરીકે જોડવામાં આવ્યું છે: “મનાં નહિ પણ “.” ઉપર જણાવ્યા પ્રમાણે છેને બચાવવાના પરિણામરૂપ જયણના અભાવથી એક અપેક્ષાએ આરેપિત કરાયેલી પ્રાણુ અને ભૂતની હિંસા થાય છે પણ જયણાબુદ્ધિપૂર્વક કરાતી ચલનાદિ પ્રવૃત્તિમાં સાક્ષાતપણે થતી હિંસાને કેઈક અપેક્ષાએ દ્રવ્યહિંસા ગણીને કદાચ તેને અલ્પપાપબંધ રૂ૫ વિપાક માનવામાં આવે અથવા તે “ ય તરણ સન્નિમિત્તો ઘા કુપુર રેલિશો નમ' અર્થાત ઈસમિતિવાળા સાધુને ચાલતાં પગ નીચે આવેલા કચરાઈને મરી ગયેલા જીવની હિંસા થાય
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy