SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૩) નથી પણ તૃષ્ણ (તૃપ્તિ)ના હિસાબે જ સુખ કરનારા છે. ભોગ દુઃખદાયક છે એમ સમજવામાં આવે અને ઉત્કટ પરિસ્થિતિનું કારણ પ્રથમથી જ ભેગને સામાન્ય પ્રસંગ છે એમ સમજાય તે એ સ્પષ્ટ છે કે ભેગો જ રોગે છે?” ભેગે રોગો જ છે.” પ્રશ્ન ૭૧૫– શ્રી જિનમંદિરને બનાવવા માટે કે મંદિરમાં પૂજા કરવા આવનારાઓની સગવડ માટે કૂ ખણવામાં દાવવામાં આવે, કે જિનેશ્વરભગવાનની પૂજામાં ઉપયોગી થાય તેવાં પુષ્પોની સગવડ માટે બગીચે બનાવવામાં આવે તે તેમાં ફલ સમજવું કે કેમ ? સમાધાન-મુખ્યતાએ તે કૂવા ખોદ્યા સિવાય કે બગીચે બનાવ્યા સિવાય પૂજાનું કાર્ય અખ્ખલિત સારી રીતે બને તે ઈચ્છવાયેગ્ય છે, પણ તેટલા મંતવ્ય માત્રથી મંદિર અને પૂજાઆદિને માટે કૂ, બાગ વિગેરે કરવાને સર્વથા નિષેધજ છે અગર તેમ કરવામાં એકલું પાપ જ છે એમ કહી શકાય નહિ. જિનમંદિરને માટે બગીચા નવા કર્યાના ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં ઘણે સ્થાને છે. પ્રશ્ન ૭૬– શ્રી વર્ધમાન તપની ઓળીને ઉપદેશ અપાય છે પણ “આદેશ આપવામાં સાધુને દોષ લાગે કે નહિ ? સમાધાન-સામાન્ય રીતે સમસ્ત જનતાને ધર્મોપદેશ કરતાં, કર્મને નાશ કરવામાં સમર્થ એવાં તપને ઉપદેશ આપવો એ ઉપદેશક માત્રનું કર્તવ્ય છે. ઉપદેશ તે કર્તવ્ય છે જ અને જીવવિશેષ જાણવામાં આવે તે સંવરની પ્રધાનતાને અનુલક્ષીને ઉપદેશ સાથે આદેશ પણ કરવામાં આવે છે તેથી સાધુને દેષ લાગે છે એમ કહી શકાય નહિ; પણ જેમ ભગવાનની સ્નાત્રાદિકરૂપી દ્રવ્ય-પૂજાને અંગે પ્રવૃત્તિ સિવાયના કાલમાં સાધુઓને ઉપદેશ દેવાનું યોગ્ય છે એમ માન્યું તે પણ તે દ્રવ્યપૂજાની પ્રવૃત્તિના વખતે સાધુઓને કંઈ ઉપદેશ કાનું હાય નહિ એમ સ્પષ્ટ જણાવે છે, તેવી રીતે અહિં શ્રી વદ્ધમાનતપ વગેરેને માટે પણ
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy