SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) શરીર અને મનની પીડા ઉપજાવવી તેનું નામ પરિતાપન છે. (લેચ અને તપ વિગેરેથી જે કે શરીરની પીડા કંચિત થાય છે. પણ તપ અને લચ વિગેરે કરનારને તે ઈષ્ટ સિદ્ધિનું સાધન અને અરૂચિ વિનાનું હેવાથી તેને પરિતાપન ગણાતું નથી.) શ્રેગ્નેન્દ્રિયદિ પ્રાણેને નાશ કરે એ અદ્રાવણુ કહેવાય છે. (પ્રાણને વિજોગ તે અદ્રાવણ કહેવાય અને તે અપદ્રાવણ તે ધર્મતત્વના જાણકારને સ્વ અને પરના વિષયમાં વર્જવાનું છે તે પણ જે સંલેખના વિગેરે કરવામાં આવે છે તે અપાવણ નથી; કારણ કે સમ્યજ્ઞાનાદિની વૃદ્ધિ થતી અટકે અને આયુષ્યની ક્ષીણતા નિકટમાં થવાની માલમ પડે ત્યારે જ સંલેખના કરવાપૂર્વક અનશન કરાય છે, એટલે આયુષ્યને સ્વાભાવિક થતા અંત માત્ર સુધારવાને હેય છે. પણ ઉપક્રમ કરીને આયુષ્યને અંત લાવવાના હેતે નથી આ જ કારણથી અગ્ય વખતે કરાતા અનશનને પણ શાસ્ત્રકારે આર્તધ્યાનના ભાગરૂપે ગણવે છે. પ્રશ્ન ૬૬૮–શાસ્ત્રકાર મહારાજાઓ સુબાધિકા વિગેરે વ્યાખ્યાનગ્રંથમાં જ્યારે ગણધર મહારાજા દ્વાદશાંગીની રચના કરતાં, પ્રથમ ચૌદ પૂર્વેની રચના કરે છે માટે તેને પૂર્વે કહે છે, એમ જણાવે છે ત્યારે ભગવાન ભદ્રબાહસ્વામીજી શ્રી આચારાંગની નિર્યુક્તિમાં તથા શ્રી શીલાંકાચાર્ય મહારાજ તેની વ્યાખ્યામાં સ્પષ્ટપણે જણાવે છે કે–સર્વ તીર્થ કરમહારાજના તીર્થમાં આચારાંગ જ આદિમાં થાય છે અને ગણધર મહારાજાઓ પણ આચારાંગાદિકના અનુક્રમે જ સૂત્રોની રચના કરે છે અર્થાત શ્રી તીર્થંકરભગવાન આદિમાં આચારાંગાથે કહે છે અને ગણધરો સૂત્રની રચના કરતાં પણ પ્રથમ આચારાંગનાજ સગે રચે છે. આ બંનેને વિરોધ કેમ પરિહરો ? સમાધાન-દ્વાદશગીની અનુક્રમે સ્થાપના કરવારૂપ દ્વાદશાંગીની રચનાની અપેક્ષાએ આચારાંગ નામનું પહેલું અંગ પ્રથમજ સ્થપાય છે
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy