SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧). અને મન) બધાને તે તમેજ જડજીવન કહે છે તે નાશવંત જડજીવન ઉપર આ ધમાલ શી ? સમાધાન–એક ચિતાર ચિત્ર ચિતરે છે, કાગળ પર અગર ભીંત પર ચિતારે ચિતરશે, ચિત્રમાં રંગ પીંછીથી પૂરશે, પણ કાગળ, ભીંત, રંગ, પીંછી એ બધામાંથી કેઈપણ ચિત્રામણ કરતાં નથી. અર્થાત-બધાં સાધનો હોવા છતાં ચિતારાની ગેરહાજરીમાં ચિત્રામણ થતું નથી, તેથી ચિત્રામણને કર્તા ચિતારે છે, તેવી રીતે પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવાનાં સાધને પાંચ ઈદ્રિય અને મનરૂપ જડજીવન છે. પણ તે જડજીવનમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવાની શક્તિ નથી. પણ પ્રવૃત્તિ–નિવૃત્તિ કરનાર આત્મા છે, અર્થાત નાશવંત સાધને છોડીને બીજા ભવમાં જાય પણ જ્યારે જડજીવન રૂ૫ સાધને મળે ત્યારે તે આત્મા તે દ્વારા પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ લાભ મેળવી શકે છે? પ્રશ્ન ૬૦૮–શ્રી આચારાંગ સૂત્રના પૃષ્ઠ નં ૧૪૬ પુઠી ૧ લીટી સાત ઉપર ટીકામાં આવેલા નીચેના સ્લેકને પારમાર્થિક અર્થ જણાવવા કૃપા કરશો– दश सूनासमश्चक्री, दश चक्रिसमा ध्वजः ॥ दश ध्वजसमा वेश्या दश वेश्यासमो नृपः ॥ १ ॥? સમાધાન–ઉપરના શ્લોકનો અર્થ દશ કસાઈખાનાં સરખે ચડી (તેલી), દશ ચીસમે એક કલાલ (દારૂવાલે) અને દશ કલાલ સરખી એક વેશ્યા અને દશ વેશ્યા સરખે રાજા છે. એને પારમાર્થિક અર્થ એ છે કે વિષયભેગમાં અત્યંત આસક્ત દશ વેશ્યાસમાન રાજા ગણાય છે. તેમજ આ બ્લેક અન્યમતને છે. અને અન્યમતાવલંબીઓ પણ રાજનું દાન પણ તે કારણથી લેતા નથી, અને આપણે પણ રાજપિંડ તે છોડવા ગ્ય જ ગણીએ છીએ તે તમારી લક્ષ્ય બહાર નહિ હેય. પ્રશ્ન ૬૦૯–કે આત્મા કેઈકની બહારની કરણું દેખી તેને મિથ્યાત્વી માનવાના કારણોના જ્ઞાનના અભાવે સમ્યકત્વની માની ભક્તિ
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy