SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૪) પ્રશ્ન પ૦૨-માંસ મદિરા નથી આપવામાં આવતાં તેનું કારણ તે એ છે કે તે નીતિ-વિરૂદ્ધ છે, ને તેથી તે બાળકને નથી આપવામાં આવતાં તે ઉપકાર છે એમ કહું તે તેને આપની પાસે છે. ઉત્તર છે ? સમાધાન-નીતિવિરૂદ્ધ છે એમ કે માને છે? ફક્ત હિંદુઓ. મુસલમાન, પારસીઓ, પ્રીતિઓ એને નીતિ-વિરૂદ્ધ નથી માનતા, ત્યારે શું તેમની દષ્ટિએ પણ એમ ઠરે ખરું કે તમે એ વસ્તુઓ બાળકને નથી આપતા તેથી તેમની બાલબુદ્ધિને ગેરલાભ લ્યો છે ? નહિ જ. પ્રશ્ન ૫૦૩માંસ મદિરા તે સામાન્યવસ્તુ છે પણ દીક્ષા તે સર્વોત્તમ વસ્તુ છે તે પછી તેના સંબંધ વિચાર થ જોઈએ ને ? સમાધાન–શાસ્ત્રાધારે થવો જોઈએ તે પ્રમાણે થાય છે. બાળક સેનું શું છે? તેની શી કિંમત છે? તે શા ઉપયોગમાં લેવાય છે તે જાણતો નથી, છતાં મા-બાપ શામાટે બાળકને સુવર્ણના આભૂષણો આપે છે? તેજ રીતે દીક્ષા એ સર્વોત્તમ ચીજ છે એમ માનીને એ ચીજ બાળકને આપતા હોય તે તેમના ઉપર એ આક્ષેપ કેવી રીતે મૂકી શકાય કે તેઓ બાલબુદ્ધિનો ગેરલાભ લે છે. વળી બીજે દાખલ . એક શ્રીમંત બાપનું બાળક છે તેના હાથમાં સેનાની બહુમૂલ્યવાળી પહોંચી છે. તે બાળક સેનું શું છે? તેનું વજન કેટલું છે ? ઇત્યાદિ કાંઇપણ વિગત જાણતા નથી તે હવે એ બાળક તે ચીજની મહત્તા નથી જાણતે માટે આપણે શું તે ચીજ ખુંચવી લઈ શકીશું? નહિં જ. તેજ પ્રમાણે બાળકનો આત્મા એ કિંમતી ચીજ છે. બાળકને એ આત્માની મહત્તા ન હોય તે પણ એ આત્માનું કલ્યાણ થાય એમ કરવાની જ મા-બાપની ફરજ છે, નહિ કે અન્યથા વર્તવાની. પ્રશ્ન પ૦૪–આપે જે ઉદાહરણે અને ઉત્તર આપેલા છે તે સધળા યુક્તિસંગત છે પરંતુ તે છતાં દીક્ષા ગમતી નથી એનું શું કારણ?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy