SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૧) સમાધાન ૫૦૦ બાલકમાંથી બધાજ દીક્ષા ન લે એ શું બતાવે છે ? એને અર્થ એ જ છે કે જેનામાં આવા સંસ્કારો હશે તેજ બાલક દીક્ષા લેશે. ૫૦૦ બાળકોમાંથી જેમ બધા જ બદમાશ ન થાય એ કુદરતી છે, કદાચ થોડા જ તેવા થશે; તે જ પ્રમાણે તેમાંથી થોડાક ધર્માત્મા કે સાધુઓ થાય એ પણ કુદરતી છે. થોડા જ બાલકે દીક્ષા લે છે અને બાકીના નથી લેતા એને અર્થ જ એ છે કે જેનામાં તેવા સંસ્કારો હેય તે જ દીક્ષા લે; બાકીનાં નહિ. અર્થાત દીક્ષા લેનારા બાલકમાં તેવા સંસ્કારે છે એ કબુલ કરવું જ પડશે. પ્રશ્ન ૪૯૮-દીક્ષા લેનારા બાલકમાં અમુક પ્રકારના સંસ્કાર હોવા જ જોઈએ એ વાત તે આપ પણ કબુલ કરે છે, તે જે બાલકે દીક્ષા લે છે તેમનામાં શું તેવા સંસ્કારે હેય છે? સમાધાન–ગયા પ્રશ્નોમાં મેં ઉદાહરણ આપ્યું છે તેને તમે વિચાર કરશો તે આ પ્રશ્નનો ઉત્તર તમે મેળવી શકશે. એમ સમજે કે અમુક સ્થળે ૫૦૦ બાલકને જથ્થ છે એ પાંચસે બાલકને તમે પૂછશે કે –તમારે દીક્ષા લેવી છે? તે આ પાંચસો બાલકમાંથી પાંચ પંદર બાળકે જ હા પાડશે. અને બાકીના ના પાડશે. એ હા પાડનારા બાળકોમાં દીક્ષા માટે જોઈતા સંસ્કારે રહેલા જ હશે. અને એવા સંસ્કારો જેનામાં મૂળભૂતપણે રહેલા હશે તે જ બાલક દીક્ષા લેવા માટે તૈયાર થશે. પ્રશ્ન ૪૯-દીક્ષા લેવા યોગ્ય સંસ્કાર હશે એ વાત આપણે કબુલ રાખીશું, પરંતુ જેનામાં એવા સંસ્કારો હેય, તેઓ મેટા ગહસ્થ પણ દીક્ષા લઈ શકતા નથી, તે પછી નાના બાલકે તેવા સંસ્કાર હેવા છતાં કેવી રીતે દીક્ષા લઈ શકે? સમાધાન–તમે મોટી ઉંમરવાળાને દાખલે આવે છે, એ ઘણું જ સારું કર્યું છે. વારૂ જેઓ મેટી ઉંમરવાળા છે શાઓ ભણેલા
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy