SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૫) સમાધાન-તમારી શંકાને ઉત્તર એ છે કે આ હેંડબીલે જે તમે વડોદરામાં વહેંચાએલા જણાવે છે તે હેંડબીલે તે જૈન-સાધુઓ અને જૈનને માંહમાંહે લઢાવી મારી તેને જગતને તમાશે બતાવવાને એક પ્રયત્ન છે. કેઈપણ આચાર્યું એવું જાહેર કર્યું હોય તે તે મને બતાવો કે કઈપણ સંજોગોમાં, કોઈપણ સ્થળે, કેઈપણુ કારણ છતાં આઠ વર્ષથી ઓછી વયવાળા બાળકને દીક્ષા ન જ આપી શકાય અર્થાત જૈનાચાર્યોમાં માંહોમાંહે મતભેદ છે એ વાત અંદર અંદર મતભેદ પડાવવાની બાજી છે. પંચાંગી શા બધાના એકજ છે. માટે આવી ચાલબાજીને કેઈએ ભેગા થવું નહિ. બન્ને પક્ષ જન્માષ્ટ અને ગભષ્ટમ એ બંને વાતને કબુલ કરે છે. તેમજ અષ્ટ અને અષ્ટમને ભેદ સમજે છે. કેઈએ પણ કેઈપણ વાતને ખંડિત કરેલી જ નથી. પ્રશ્ન ક૫૮– શ્રી કૂર્મપુત્રને કેવલજ્ઞાન થયું હતું તે છતાં તેઓ સંસારમાં રહ્યા હતા તેનું કારણ શું? સમાધાન–શ્રી કુમપુત્રને કેવલજ્ઞાન થયું હતું તે છતાં તેઓ સંસારમાં રહ્યા હતા, તેનું કારણ એક હતું કે તેઓ માતાપિતાની દીક્ષા થવાના હિતની ખાતર–માતાપિતાને પ્રતિબોધવા માટે સંસારમાં રહ્યા હતા. અર્થાત એ તેમનું વ્યક્તિગત અને વિશેષ સંજોગો વચ્ચેનું કાર્ય હતુ. આ રીતે એક વ્યક્તિનું વ્યક્તિગત અને વિશેષ સંજોગે વચ્ચેનું કાય તે કાંઈ આખા જગતને માટે અનુસરવાનું ઉદાહરણ છે એમ ન જ કહી શકાય, મેલેરીયાના તાવથી પીડાતા દરદીને કવચિત્ ડેકટર ઇજેન્કસન કે કઈ રીતે સોમલ આપે તે શું એમ સિદ્ધાન્ત બાંધી શકાય ખરે કે તાવ આવે તે સોમલ ખાવું? તે જ પ્રમાણે આ ઉદાહરણ પણ સમજવાનું છે. કેવલજ્ઞાન એટલે જગતના સર્વ ભાવ જાણવાનું જ્ઞાન કેવલી તે પોતે જે પ્રમાણે ફલ દેખે તે પ્રમાણે જ કરે. શ્રી સીમંધરસ્વામીને પૂછવામાં આવે છે કે કઈ ભરતક્ષેત્રમાં તીર્થ કર, કેવલી છે કે નહિં ?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy