SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૨) પ્રશ્ન ૪૧૩–પુwાથે માત્ર સેવનીય ખરે કે નહિ? સમાધાન–નહિં, કારણકે ઇચ્છમાત્ર સેવન કરવી અથવા ઈચ્છાને આધીન થવું જ જોઈએ તે સિદ્ધાંત કોઈ પણ મતાનુયાયી સ્વીકારી શકતા નથી અર્થાત વગીકરણ કરેલ વસ્તુઓ વિધાનરૂપ નથી. જેમ કષાયની અપેક્ષાએ વગીકરણમાં ચાર પ્રકારના છે. જગતમાં ચાર કષાયવાળા જ છે. વિગેરે. પ્રશ્ન ૪૧૪–પુરુષાર્થ પૈકી બેને સેવવાં અને બેને તજવા અર્થાત મનગમતા લેવાં અને અણગમતાંને ધકેલવા એ શું તમારો સિદ્ધાંત છે? સમાધાનના, દરેકે દરેક પુરુષાર્થમાં કેટલે લાભ અને કેટલી હાનિ છે, તે વિવેકપુરસ્સર તપાસવા. બુદ્ધિપૂર્વક વિચારશે તે માલમ પડશે કે બેને સેવવાં તે ઇષ્ટ છે અને બેનાં તે સ્વપ્નાં પણ ન સેવવાં તે જ હિતાવહ છે. પ્રશ્ન -ચારમાં સેવવા લાયક કયાં? સમાધાન ધર્મ અને મેક્ષ. પ્રશ્ન ૪૧૬–એ ચારે પુરુષાર્થનું વાસ્તવિક સ્વરૂપ શું ? સમાધાન–બાહ્યસુખના સાધન તેનું નામ અર્થ, બાહરુખને ભોગવટો તેનું નામ કામ, વાસ્તવિક-સુખનાં સાધન તેનું નામ ધર્મ અને વાસ્તવિક-સુખને ભગવટે તેનું નામ મોક્ષ. ઊપરના ચારે વર્ગને અનુસરતી ઈછા તેનું નામ પુરુષાર્થ જેમકે અર્થ પુરુષાર્થ વિગેરે. પ્રશ્ન ૧૭-“નહિ સેવવા લાયકનાં સ્વપ્ના પણ સેવવાં નહિ.” એ જે તમે વારંવાર કહે છે તે શું તે સંબંધીને સ્વપ્ન સેવવામાં અને ઈચ્છા કરવામાં પણ કર્મબંધ થાય છે?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy