SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧) સમાધાન જે તીર્થકરેએ કરવા માટે કહ્યું એ કરવા લાયક છે એ કબુલ છે, પણ તીર્થકરોએ કર્યું એ કરવા લાયક નહિ એમ કહેનારાઓએ ખરેખર શાસ્ત્રને વાંચ્યા નથી. બધે વાંચ્યા હશે તે તેને ભાવ પામ્યા નથી. કારણ કે આવી રીતે કહેનારાઓને પૂછીએ કે તીર્થકરોએ સવસ્ત્ર ધર્મ પ્રરૂપવા માટે વસ્ત્ર રાખ્યું તે તમે તે રાખે છે કે કેમ? તીર્થકરોએ સપાત્ર ધર્મ પ્રરૂપવા માટે પહેલે પારણે પાત્રમાં આહાર કર્યો હતો તે તમે પણ પાત્રમાં આહાર કરે છે કે કેમ ? તીર્થકરે બારે પ્રકારની તપશ્ચર્યામાં જે સાધુની ચર્યામાં તત્પર રહ્યા તે તમે પણ તેમાં તત્પર રહે છે કે કેમ? પણ એ સાધારણ બેધમાત્રથી ફાવે તેમ બેલી નાખનારાઓએ એ તીર્થકરોએ કર્યું તે ન કરવાનું કહેવા દિશા ફેરવવી જ રહે છે. પ્રશ્ન ૧૨૯–શાસ્ત્રદષ્ટિએ પાપી સાધુ કાણુ કહેવાય ? સમાધાન–જેમ કાઈક અણસમજુ પણ ભરોસો રાખનાર મનુષ્ય નાણું લઇને કેહીનૂર ખરીદવા વિશ્વાસને યોગ્ય એવા વેપારી મનુષ્ય પાસે આવ્યા હોય અને તે વેપારી તેને બદલે નકલી (બનાવટી) કોહીનૂર આપને તે ગ્રાહકને રવાના કરે તે વેપારી જેમ લુચ્ચે અને બેવકુફ ગણાય તેમ વીલાસરૂપી નાણું લઈને ચારિત્ર (સર્વવિરતિ) રૂપી અદ્વિતીય કહીનર લેવા જે ભવિક આવ્યા હોય તેને ગૃહસ્થધમરૂપી નકલી કહીનૂર આપીને વહેત કરે તે શાસ્ત્રદષ્ટિએ મહાપાપી છે. બલકે આગળ વધીએ તે દયાના પરિણામ વગરને ચૌદ રાજલેકના જીવના ઘાતની અનમેદના કરનાર છે. પ્રશ્ન ૧૩૦–મહાન યોગી કેણ કહેવાય ? સમાધાન–મહાન યોગી તે જ કહેવાય કે જેને માટે શાસ્ત્રકાર મહારાજા શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી જણાવે છે કેયુવાડોરાનું જે મુદ્દા પૂજિતઃ સ્થા कोष्टाधैर्यश्चाहतो रोमहर्षी ।
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy