________________
।। નમઃ શ્રોત્રિનશાલનાય ||
સંપાદક તરફથી
શ્રી દેવગુરુ–કૃપાએ જિનશાસનના મહાન જ્યાતિ ર આગમ-સમ્રાટ્ શ્રી આગમાદ્ધારક આચાય દેવશ્રીના સાગર જેવા અગાધ જીવન ચરિત્રના આલેખનનુ મંગલ કાર્ય પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી માણિકયસાગર સૂરિવર્ય શ્રીની વરદ કૃપાથી ગજા બહારનુ છતાં સુવ્યવસ્થિતપણે ચાલ્યું. તેમાં ખીજા ભાગમાં પૂ. આગમેદ્ધારક આચાર્ય દેવશ્રીની દીક્ષાના પ્રસંગનું આલેખન દેવ-ગુરૂ કૃપા બળે મળી આવેલ અનેક પ્રાચીન પ્રામાણિક પત્રોનું સકલન કરતાં એમ માંગલિક વિચાર સ્ફુરેલ કે—
“જગપ્રસિદ્ધ મહાપુરૂષોના જીવનચરિત્રની શ્રેણિમાં પૂ. આગમાદ્ધારક આચાય દેવશ્રીના ગુરૂભગવ'તશ્રી ઝવેરસાગરજી મ. નું નામ ગણાય છે, છતાં તેઓશ્રીનું જીવનચરિત્ર કેમ લખાયું નથી ?’’
તેના કારણમાં એમ સમજાયું કે-“આધારભૂત પ્રામાણિક માહિતીની ખૂટતી કડીઓના કારણે પૂ. શ્રી ઝવેરસાગરજી મ.નું જીવનચરિત્ર સાકાર નથી બની શકયું.”
એથી દેવ-ગુરૂ કૃપાએ મળી આવેલ પ્રામાણિક માહિ તીઓના આધારે પૂ. આગમોદ્ધારક આચાય દેવશ્રીના જીવન ચરિત્રમાં જરા અ-પ્રાસ'ગિકતાના દોષ વહેરીને પણ મળી આવેલ બધી સામગ્રીને ઉપયેગ યથાશકય કરવા વિચાયુ: