SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સલત જગજીવન તથા શાહ પાના બોઘા વિગેરેને અમારા વતી ધર્મલાભ કહેશોજી. સંવત ૧૯૪૫ અષાઢ વદ ૭ શુક્રવારે લી. ગોવનજી ગાંગજીનાં વંદણ ૧૦૦૮ વાર અવધારશોજી. લી. આપને સેવક આજ્ઞાંકિત લીબડી નિવાસી વહેરા જીવરાજ ગાંગજીની વંદના ૧૦૦૮ વાર આપની પવિત્ર સેવામાં ફુરસદ વખતે સ્વીકારશોજી.” આ રીતે પૂજ્યશ્રીની સાથે રહેલ તપસ્વી મુનિશ્રી જીતવિજયજીની ચૌમાસી–અઠ્ઠાઈની તપસ્યાથી શ્રીસંઘમાં અનેરા-ધર્મોલ્લાસની લહેર પ્રગટી. પરિણામે ચૌમાસી-અઠ્ઠાઈમાં પૂજા, પ્રતિક્રમણ, બેસણું, ઉકાળેલું પાણી, પગરખાંને ત્યાગ આદિ વિશિષ્ટ મર્યાદાઓ. આચરવાની પ્રેરણા કદી ધર્મક્રિયા ન કરનારાઓના મનમાં પણ ઉદ્ભવવા પામી. જેથી ઘણું વૃદ્ધપુરૂષે પણ પૂજ્યશ્રીના ચાર્તુમાસની. આગવી-વિશેષતા નિહાળી પ્રમોદ ભાવથી ભરપૂર બન્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી ચૌમાસી ચૌદશે છઠું-ઉપવાસ -આંબેલ–એકાસણાથી રરપ અષ્ટપ્રહરી પૌષધ સ્ત્રી-પુરૂષમાં થયા, સાંજના પૌષધ ૧૭૦ જુદા થયા.
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy