SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ઝવેરસાગરજી મ.ના આગમિક તાત્વિક વ્યાખ્યાને સંભળાય તે હેતુથી ચોમાસું રહેવાનો વિચાર સંઘવી શેઠ દીપચંદભાઈ આદિએ સ-પરિવાર કરવા નિધ. પૂ. ગચ્છાધિપતિશ્રીએ સંઘવીના આગ્રહથી શેઠ નરશી નાથાની ધર્મશાળામાં ચાતુર્માસ માટે જે સુ. ૧૧ના મંગળદિને પ્રવેશ કર્યો. સંઘવીએ સાકરના પડા વહેંચી સકળ–શ્રીસંઘનું બહુમાન કર્યું. - ત્યારથી પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ના શ્રી શત્રુંજયમાહાસ્ય ઉપર તાત્વિક-છણાવટવાળાં વ્યાખ્યાને શરૂ થયાં. પૂ. ગચ્છાધિપતિશ્રી અનુકૂળતાએ અવાર-નવાર ચતુર્વિધ-શ્રીસંઘ સાથે શ્રી શત્રુંજયતળેટીની યાત્રાએ પધારતા, ત્યાં ભાવવાહી ચૈત્યવંદન કરી ગિરિરાજની સ્પર્શના કરી શ્રી શત્રુંજય ની આરાધનાને કાઉ. અને ૧૦૦૦ જાપ કરતા-કરાવતા. વિશિષ્ટ-પર્વના દિવસોમાં પૂ. ગચ્છાધિપતિશ્રી શરીરશક્તિ ક્ષીણ જેવી છતાં ભાલાસથી ગિરિરાજ પર ચઢી જતા અને દાદાને ભેટી ખૂબ આનંદ-વિભેર બનતા. અસાડ સુદ ૫ ના મંગળદિને પૂ. ગચ્છાધિપતિશ્રી ૨૭૮ --
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy