SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે ઉપધાન કાર્ય પછી મૌન એકાદશી સુધી સંઘના આગ્રહથી પૂજ્યશ્રીની સ્થિરતા થવા પામી. - આ ગાળામાં સૌથી વધુ મહત્વની બીના એ બની કે – કપડવંજમાં પૂજ્યશ્રીની તાત્વિક-દેશનાથી પ્રભાવિત બનેલ પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી મગનભાઈ ભગતની આધ્યાત્મિક-દેરવણી તળે પૂ. ચરિત્રનાયકશ્રીને ધાર્મિક-ઉછેર થઈ રહેલ, તે અંગે વિવિધ ધર્મચર્ચા પણ પૂજ્યશ્રી સાથે પત્રવ્યવહારથી થતી, સારાંશરૂપે સર્વવિરતિમાર્ગની તમન્ના જાગૃત કરવામાં આવતી. પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી શારીરિક-દષ્ટિએ નાની વયના. છતાં પૂર્વજન્મની આરાધનાના બળે અંતરાત્માથી ખૂબ જ ઉત્તમ વિચાર-સરણિ ધરાવતા હતા. જેનું પ્રતિબિંબ જેમાં ઝીલાયું છે, તે પત્ર જૂના સંગ્રહમાંથી મળી આવ્યું છે-કે જે પત્ર પ્રથમ ભાગ (પા. ૨૫૦-૨૫૧) માં તથા પરિશિષ્ટ-૬(પા-૪૮૪૯) માં છપાયેલ છે, છતાં પ્રસંગચિત સમજી આ પત્ર ફરીથી. અહીં ટાંકે છે. “સ્વસ્તિ શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય શ્રીમતિ મહાશુભસ્થાને શ્રી ઉદયપુર નગરે સર્વ ઉપમા લાયક, મહામુનિરાજ, મારા કુટુંબના તારણહાર, શિરછત્ર, પૂ. ઝવેરસાગરજી મ.ની પવિત્ર સેવામાં ૨૩૪
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy