SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધકોને ભાવલાસ પૂજ્યશ્રીની તાત્વિક દેશનાથી વધવાના પરિણામે શ્રી નવપદજીની એાળીજીના પાછલા ચાર દિવસોમાં નવ છોડનું ભવ્ય ઉજમણું ચૌગાનના દહેરાસરના. બહારના ચોકમાં બંધાયેલ ભવ્ય મંડપમાં ગોઠવાયું. ધર્મપ્રેમી-જનતાએ હજારોની સંખ્યામાં જ્ઞાન-દર્શન ચારિત્રના વિવિધ ઉપકરણે–સામગ્રીને નિહાળી તપ ધર્મની ખૂબ અનુમોદના કરેલ. શ્રી ગોડીજી મહારાજના મૂળનાયક પ્રભુજીને રેજ ધારણ કરાવી આરાધકોને ભાલ્લાસ વધે તે હેતુથી સુંદર મુકુટ-કુંડલ પૂજ્યશ્રીની પ્રેરણાથી તૈયાર થઈને પૂજા ભણાવી અભિષેકની વિધિપૂર્વક ચડાવરાવ્યા. આ ઉપરાંત સાગરશાખીય મુનિભગવંતની પ્રેરણા અને ઉપદેશથી સ્થપાયેલ જ્ઞાન ભંડારમાં તેમજ ગેડીજીમહારાજના દહેરાસરના ભંડારમાં અણવપરાયેલ તથા જૂના થઈ ગયેલ ચંદરવા-રૂમાલ વગેરેને નિકાલ કરાવી તેના જરી વગેરે માલને વ્યવસ્થિત કારીગર પાસે કઢાવી તેના સદુપયેગ રૂપે શ્રાવકોને પ્રેરણા આપી જ્ઞાનભક્તિ અને પ્રભુભક્તિ માટે નવા રૂમાલે ચંદરવા વિગેરે પૂજ્યશ્રીએ બનાવડાવ્યા. સં. ૧૯૮ના ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રીને કફને વ્યાધિ અને શીતજવર અવારનવાર આ મહિનાથી ખૂબ - ૧૪૧
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy