SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ પટ કરાળકાળની વિકરાળતાએ મુનિ આનંદસાગરજીને આનંદ લૂંટી લીધે નૂતન દીક્ષિત છત્ર વિહેણું બન્યા. છત્ર છીનવાયા પછી મહામુનિની સ્થિતિ વિકટ બની, અંતરમાં ગુરૂપ્રેમે હચમચાવી મૂક્યા. ગુરૂને વિરહ આકરો થઈ પડ્યો. એમનું નાવ હજુ મઝધારે હતું. ત્યાં સુકાની સ્વનામધન્ય બની ચાલતો થયો. દીક્ષા પર્યાય માત્ર નવ મહિનાનો હતો. ધીરે ધીરે સ્વસ્થતા કેળવી પુનઃ સવાધ્યાય, ધ્યાન, તપ, સંયમાદિમાં લીન બન્યા. મરૂપર પ્રતિ પ્રયાણ બીજું વર્ષાવાસ અમદાવાદ શાહપુર ખાતે કર્યું. ત્યાંથી મેવાડ ભણી વિહાર કર્યો. એ વખતના ઉદયપુરની ગાદીએ વિરાજતા યતિવર્ય શ્રીઆલમચંદજી નમ્ર અને સરલ હતા. સંવેગી સાધુઓ પ્રતિ સદ્દભાવ રાખતા હતા. જ્ઞાનશીલ પણ હતા. એથી એમની પાસે જ્ઞાનપ્રાપ્તિની ભાવનાથી ગયા. એ સમયની એક બલિહારી હતી કે–સાધુઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી હતી. લગભગ પીરતાલીસથી અડતાલીસની ગણાતી. એમાં અર્ધા તે વયે વૃદ્ધ અને માત્ર સ્વકલ્યાણ કરે તેવા. લેહીથી ખરડાયેલા વસ્ત્રને લેકમાં મૂખ પણ (લેહીથી) છે તે નથી. તે શું ? મેહથી વ્યાપ્ત મનુષ્ય મેહથી વ્યાપ્ત ઈશ્વરને ભજે છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy