SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ ૩૧ આવા વિચારોના ફેલાવાના કારણે સારી વ્યક્તિઓ દીક્ષા ગ્રહણ કરતા અટકે છે. પૂર્વના મહારાજાઓ રાજપુત્રો રાજરાણુઓ અને રાજકુમારીઓ દીક્ષા ગ્રહણ કરતા હતા, એ શું કાયર હતા ? પણ આજના કાળનું કમનસીબ છે કે “અસમર્થ હોય તે સાધુ બને” આવું લોકજીભે ચડ્યું છે. તું એની સામે સંયમી બની પડકાર ઝીલ, સંયમને માર્ગ મોકળો બનાવ, દીક્ષાની વિજયપતાકા ફરકાવ, તારી માતા કે પત્નીના મેહમાં ન આવત, એ તને અંતરના આશીર્વાદ છે. જા તું સંયમ લેજે અને સાધુઓને સેનાની બનજે આનંદને ઉદધિ પિતાજીની વાત સાંભળતા હેમચંદ્રનું હૈયું આનંદના ઉદધિમાં તરવા લાગ્યું, મારી ઈચ્છા હતી જ અને પિતાજીએ પણ ગુપ્ત છતાં મક્કમ સહકાર આપ્યો. હવે હું દીક્ષા લઈને જ જંપીશ એ વગર મારે કાંઈ ન જોઈએ. દીક્ષા એ મારો પ્રાણ છે. દીક્ષા એ મારું જીવન છે. દીક્ષા એ મારૂં સર્વરવ છે. પિતાના વૈરી એવા મનુષ્ય અને દેવતાઓથી અનેકવાર હણાયા છતાં તેને વિષે ઉત્કૃષ્ટ દયાને ધારણ કરી લે હે ભગવન ! આ તમારી વીતરાગતા–રાગરહિત અવસ્થા કોની સાથે સરખાવાય? અર્થાત કોઈની સાથે નહિં.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy