SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ રાજનગર ભણી બેટા મણીલાલ ! તને સંયમ લેવાનું મન છે. એ મારા ખ્યાલમાં છે. હું તારી ભાવનાને આડે આવવા માગતે નથી. તું શાસનને શોભાવે એવી મારી ઈચ્છા છે. તું તારા આત્મકલ્યાણના પથે જા, મારા તને અંતરના આશીર્વાદ છે. અહીં તેને સંયમ અપાવી શકું તેમ નથી. સમાજની ભીષણ નાગચૂડમાંથી બહાર આવવું મારા માટે કઠણ છે. માટે તું અમદાવાદ જા, તે બાજુ સારા મહાત્મા પુરૂષને શોધી આત્માનું કલ્યાણ કરજે અને શાસનને શોભાવજે. આ વાતની જાણ ચકોર હેમચંદ્રને થઈ, હેમચંદ્ર વધુ વૈરાગી અને વધુ ઉત્સાહી હતું. ત્યાગમાર્ગ પ્રતિ વધુ આકર્ષણ હતું, વડિલબંધુને અમદાવાદ જવાને વારે આવ્યું. ત્યારે હેમચંદ્ર પિતાજીને કહ્યું પિતાજી! મારે પણ મોટાભાઈ સાથે અમદાવાદ જવું છે. મને રજા આપે. - પિતાજીનું મનોમંથન પિતાજી તો તરત પારખી ગયા. મનમાં વિચાર્યું કે આ - હે ભગવન ! તમે સર્વ વસ્તુને જાણનાર સર્વજ્ઞ અને સર્વથા રાગરહિત હેવા છતાં પણ રાજાને બેધ પમાડવા માટે સેંકડે જન દૂર ગયા પણ મને એક વચન પણ આપતા નથી. સંભળાવતા નથી. અર્થાત્ મને બેધ પમાડે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy