SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ આગમધરસૂરિ આજે આ શિખર પર્વતને વારો આવ્યો, તે કાલે શ્રી સિદ્ધાચલજી પર્વત ઉપર પણ થાણું નાંખશે, પરમ દિવસે બીજા પર્વતને વારે આવશે. પરિણામે આપણું પવિત્ર તીર્થસ્થાનને અપવિત્રતામાં ફેરવી નાંખશે. શાંતિના બદલે અશાંતિ ફેલાશે. આજે જો આપણે સમતા કે શાંતિના નામે ચલાવી લઈશું તે આવતીકાલે તમારા હાથમાંથી પૂજાની વાટકી પણ પડાવી જશે, એક ખતરો અનેક ખતરાને જન્મ આપે છે. આપણે અત્યારથી નહિ ચેતીએ તે પછી ચેતશું એને અર્થ કાંઈ નથી. જો તમારામાં જૈનધર્મની ભાવનાનું લેહી વહેતું હોય, જે તમારામાં પરૂષત્વ હેય, જો તમે વીરના પુત્રે છે, તે જાગો, બ્રીટીશરોને કહી દે. “તમે લેકેએ અમને કચડી નાંખવા આવા ઉપાયે લેવાનું નક્કી કર્યું છે. પણ અમને એ મુનાસીબ નથી અમે હવે જાગ્યા છીએ.” તમે લેકેએ અમારા ધન લૂંટ્યા છે. હવે અમારો ધર્મ લૂંટવા આવ્યા છે પણ ખબરદાર ! અમારા તન મન હે નાથ ! તમારે દાસ-સેવક તમારા ઉપદેશ વગર પૃથિવી આદિ કાયને કેવી રીતે જાણત? અને તેઓના ષકાયના વધને ત્યાગ પણ અહિં કેવી રીતે કરત? ખરેખર બીજાઓએ શું દયાળુતાને નાશ નથી કર્યો ? અર્થાત તેના અજ્ઞાનથી તેની દયાને નાશ કર્યો છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy