SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, ૦ શનિવારે સાંજે દી બત્તી સળગાવ્યા પછી તત્કાળમાં ન ધારેલી છીંક આવે તે માનવું કે આગળ કઈવાર તમને નહિ જણાયેલા એવો કેઈ અજાણ્ય પણે આવશે. ૦ ઘરની બારીનાં ખૂણામાં ચક્લી માળે બધે તે તે શકુન ભરેલું છે. ઘરમાં ચકલીની થતી આવ જા લાભકારક છે. જેમ વધારે ચક્લી આવે તેમ વધુ લાભ, પણ ચકલીએ. આવતી બંધ થાય તો તે અશુભ છે. ૦ બીજનો ચંદ્રમાં ખુલ્લી આંખે જમણી તરફથી જે અને તુરત જ ખિસ્સામાંથી રૂપિઓ કાઢી તેનાં દર્શન કરવાં, તેથી લક્ષમી પ્રસન્ન થાય છે. ૦ ખરતે તારે નજરે પડે તે વખતે ધારેલી ઈચ્છા પૂર્ણ કરવા મનમાં ઈચ્છવામાં આવે તે પૂર્ણ થાય છે. ૦ લાલ કળીએ કપડાં પર થઈ આવ જા કરતા. જણાય તે નાણાંને લાભ થવાને છે. ૦ જિનમંદિર બંધાવનાર માણસ જે લંપટ ગુરૂને હાથે પ્રતિષ્ઠા કરાવે તે સંઘને મેટે ભય થાય. ૦ જિનમંદિરના શિખરમાં જે ઘુવડ પક્ષી વાસ કરીને રહે તે છ વરસ સુધી વૃષ્ટિ જ થાય નહીં. A જે માણસને હાથે જિનપ્રતિમાનું મસ્તક છેદાઈ જાય. તે માણસ નિર્ધન થઈ અઢાર માસની અંદર વ્યાધીથી મૃત્યુ પામે. ૦ સ્મશાન ભૂમિમાં અથવા આકાશમાં જે મસ્તક વિનાને પુરૂષ ફરતે દેખાય તે ભયંકર મરકી ફાટી નીકળે.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy