SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. કર રાજા આ સ્તંત્રના ધ્યાનથી માનવંતી પદવી અને વિપુળ સંપત્તિ પામ્યા છે, તે પ્રિયંકરનૃપની કથા આ પ્રમાણે છે – * મગધ દેશમાં અશેકપુર નામે નગર હતું, જ્યાં શ્રીમંત લેકેના ત્રણ ભૂમિકા (માળ) વાળાં મકાને હતાં, જ્યાં સકળ વસ્તુઓના આકર ( ઢગલા) હતા, જ્યાં અતિથિજનેને આદર આપવામાં આવતા, જ્યાં ભેજનમાં પુષ્કળ આજી (વૃત) વપરાતું, જ્યાં મંદિરેમાં શ્રી આદિનાથની મૂત્તિ હતી, વિષાદ કરવામાં જ્યાં આલસ્ય હતું, રાજમંદિરમાં જ્યાં આડંબર હતું અને ભેગી (સર્પ)ને ઉપદ્રવ જ્યાં નકુલ (નળીયા )નેજ' હતું, પરંતુ બીજે કયાંઈ તેમ ન હતું. ત્યાં (તે નગરમાં) અશોકચંદ્ર નામે રાજા રાજ્ય કરતે હતે. જે રાજા તેજસ્વી, પ્રતાપી, શરણાગત વત્સલ, દુજનેને શિક્ષા આપનાર, શત્રુઓને નાશ કરનાર, પોતાની પ્રજાનું રક્ષણ કરનાર, દાતા, ભક્તા, વિવેકી, નયમાર્ગગામી, સ્વપ્રતિજ્ઞા પાળવામાં નિશ્ચળ અને કૃતજ્ઞ હોય તે ભૂપ પૃથ્વીમંડળપર પિતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવી પિતાના રાજ્યને વિસ્તૃત કરી શકે છે. (આ રાજા તે હતે). તે રાજાને વિનય, વિવેક અને શીલાદિક અનેકગુણસંયુક્ત અશોમાલા અને પુછપમાલા નામે બે રાણીઓ હતી. કહ્યું છે કે – रम्या सुरूपा सुभगा विनीता, प्रेमाभिमुख्या सरल स्वभावा । सदा सदाचारविचारदक्षा, संपाप्यते पुण्यवशेन पत्नी ॥१॥ ૧ “કુળવાન ન હોય તેને જ ભેગની ખામી હતી; અથવા તે તેવા નીચ કુળવાળાને જ તેના નીચ કૃત્યપર ભોગી પુરૂષોને ઉપદ્રવ હતું. નકુળને ઉપદ્રવ ભેગી (સર્પ) ને હોય તે કરતાં અહીં ઉલટું હતું.”
SR No.032369
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy