SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) માંધી તેને ત્યાં જ મૂકી આગળ ચાલ્યા અને જેમની ઇંદ્રિયા આકુળવ્યાકુળ થઇ છે એવા તે સવે દરેક સ્થાને મૃગલાની શેધ માટે ભમવા લાગ્યા. પરંતુ તે મૃગલા તેમને પ્રાપ્ત થયા નહીં ત્યારે રાજા પાછા વળ્યેા અને મનમાં સંકલ્પવિકલ્પ કરતાં તેને મુનિનું અધન યાદ આવ્યું. તેણે અઢાર ઘડી સુધી મુનિને અધન રાખ્યું. પછી શાકને ધારણ:કરતા તેણે મુનિને બંધનથી મુક્ત કયા. પછી વિનયથી યુક્ત એવા તે રાજા મુનિને ખમાવી પેાતાના રાજ્યમાં આવી પ્રજાનું પાલન કરવા લાગ્યા. તે શક્તિસિહ રાજા મરીને આ ભવમાં તું થયા છે. પ્રાણીઓ પૂર્વ ભવમાં કરેલાં કમાને આ ભવમાં ભાગવે છે. ધ્યાનમાં રહેલા મુનિને તે અંતરાય કયા હતા, તે તારૂં કર્મ ખમાવવાથી પણ સર્વથા ક્ષીણ થયું નહાતુ. તે કવડે તને દૃઢ ભાગાંતરાયનો અંધ થયો હતા. આ પ્રમાણે જાણીને હે મહાબુદ્ધિમાન પથિક ! તું શાક ન કર. બુદ્ધિમાન પુરૂષોએ નિર'તર મુનિઓની સેવા કરવી. તેઓની કદાપિ વિરાધના ન કરવી, કેમકે તેમની વિરાધના કરવાથી મનુષ્ય અનેક દુ:ખાને પામે છે અને તેમની સેવા કરવાથી સદા મનવાંછિત ફળને પામે છે. હું ભદ્ર ! હવે તારા અશુભેાદયના કાળ પૂર્ણ થયો છે, તેમાં કાંઇ પણ સશય નથી. હવે થાડા કાળમાં તારૂ કલ્યાણ થવાનુ છે, માટે તું ખેઢના ત્યાગ કર. હું ભીમ ! પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યને લીધે તું આ આખી પૃથ્વીને જિનેશ્વરોના મદિરાવડે સુશાભિત કરીશ. અધુના આ જગતમાં તારી જેવા પુણ્યશાળી પુરૂષ કાઈ પણ જણાતા નથી, તેથી હવે તારે જરા પણ દુષ્ટ વિચાર કરવા નહીં. આ પ્રમાણે મુનિનાં વચન સાંભળીને મિત્રસહિત ભીમસૈન મુનિને નમસ્કાર કરી શુભ ધ્યાન કરતા રૈવતગિરિ તરફ્ ચાલ્યો, અનુક્રમે તે ગિરિ ઉપર ચડીને તેણે અતિ શ્ર
SR No.032368
Book TitleBhimsen Nrup Tatha Kandu Rajani Katha
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1933
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy