SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) દિક આત્યંતર શત્રુઓ તેની પાસે પણ આવી શકતા નથી. અખંડ (નિરંતર) કલ્યાણને આપવામાં સમર્થ એવા દયામય ધર્મને જે પ્રાણ ભજે છે, તે સંસારના દુઃખને નાશ કરનાર અને દીર્ઘ આયુષ્યવાળા થાય છે, તેને આપત્તિ દુર્લભ થાય છે, સંપત્તિ સુલભ થાય છે, સર્વ લોક તેની ઈચ્છાને અનુસરે છે, દુ:ખથી દર્શન થઈ શકે એવા રાજાઓ તેના હિતકારક ( મિત્ર ) થાય છે અને શત્રુ પણ મિત્રરૂપ થાય છે. ચિંતામણિ રત્ન સમાન દયાને આશ્રિત થયેલો અનંત સુખને આપનાર ધર્મ જે આરાધ્ય હોય તો તે સદા દારિદ્રને દળી નાખે છે, અખંડ વૈભવને પ્રાપ્ત કરે છે, વિનોનો નાશ કરે છે અને મનમાં ઈચ્છલી સર્વ વસ્તુઓને ઉત્પન્ન કરે છે. (મેળવી આપે છે). આ પૃથ્વી ઉપર સંસારથી ઉદ્વેગ પામેલા પુરૂષેના કષ્ટનો નાશ કરનારા અને સુખને પ્રાપ્ત કરનારા ઉત્તમ શાસ્ત્ર, આગમ અને તત્ત્વબોધ વિગેરે હજારે ઉપાય છે, પરંતુ અહો ભવ્યજને ! ખરેખર ઉપાય તે સર્વ અર્થને પ્રાપ્ત કરવામાં એક કુશળ એ તીર્થકરે કહેલ મનોહર શુભ ધર્મ જ છે. અગાધ જળવાળા સ સારરૂપી સમુદ્રના પારને પામવા માટે જે મનુષ્ય અનુક્રમે વિદનને નાશ કરનાર ધર્મના આરાધનને ઈચ્છે છે તે મનુષ્ય લેકમાં ઉત્પન્ન થતા ઘણું કષ્ટને આપનારા અનર્થને પામતો નથી, તથા છેવટે સત્યરૂષોના માનને પામીને ઈચ્છિત એવી મોક્ષની સ્થિતિનો આશ્રય કરે છે. સર્વ લોકે ધર્મના આરાધનને ઈચછે છે, ધર્મને આશ્રિત થયેલે મનુષ્ય કલ્યાણવાળે થાય છે, ધર્મવડે વિક્નોને સમૂહ નાશ પામે છે, ડાહ્યો માણસ ધર્મને માટે સદા યત્ન કરે છે, ધર્મથી ક્ષણવારમાં મોટી સંપદા પ્રાપ્ત થાય છે, ધર્મને પ્રભાવ ઘણે ભેટે છે અને ઉચિત એ ધર્મ કરવાથી શું શું સિદ્ધ થતું નથી? ઉચ્ચ કુળમાં જન્મ, નિર્મળ કીર્તિ
SR No.032368
Book TitleBhimsen Nrup Tatha Kandu Rajani Katha
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1933
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy