SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) આચાર વિના-કુલીનપણુ શાલતુ નથી, દયા વિના ધર્મ શેભતા નથી, નેત્ર વિના મુખ શેાલતુ નથી, સત્ય વિના વક્તાપણ શાભતું નથી, પ્રતિમા વિના ચૈત્ય શૈાલતું નથી, તેમજ દ્રવ્ય વિના મનુષ્ય શેાલતા નથી. ” આ પ્રમાણે ખેદ પામેલા તેમની દીનતાવાળી વાણી સાંભળીને દયાયુક્ત મનવાળા તે મુનિએ પ્રીતિથી તે બન્નેને કહ્યું કે- પૂર્વ જન્મમાં તમાએ સમ્યક્ પ્રકારે ધર્મને આરાધ્યા નથી, તેથી તમેાને કષ્ટ આપનારી નિર્ધનતા પ્રાપ્ત થઈ છે; તેથી આ અપરાધ રહિત એવા જીવિત ઉપર તમારે ખેદ કરવા ચેાગ્ય નથી. સમ્યક્ પ્રકારે ધર્મનું સેવન કરવાથી મનુષ્યને સંપદા સુલભ થાય છે. દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણ કરવાથી જ ધમ કહેવાય છે. તે ધર્મ સર્વજ્ઞે કહેલા સંયમાદિક દશ પ્રકારના છે, તે મુક્તિને માટે છે. ધર્મ ઉત્કૃષ્ટ મગળ છે, ધર્મ સ્વર્ગ અને મેાક્ષને આપનાર છે, ધર્મ સ`સારરૂપી અરણ્યને ઉલ્લંઘન કરવામાં માર્ગદર્શક ( ભેામિયા ) છે, ધર્મ માતાની જેમ પાષણ કરે છે, ધર્મ પિતાની જેમ રક્ષણ કરે છે, ધર્મ મિત્રની જેમ પ્રેમ ઉપજાવે છે, ધર્મ અધુની જેમ સ્નેહ કરે છે, ગુરૂની જેમ ધર્મ ઉજવલ ગુણાને પ્રાપ્ત કરાવે છે, સ્વામીની જેમ ધર્મ માટી પ્રતિષ્ઠા આપે છે, ધ સુખની મેટી હવેલી સમાન છે, ધર્મ શત્રુના સંકટ વખતે અખ્તર સમાન છે, ધર્મ જડતાને છંદનાર છે, ધર્મ પાપના મર્મસ્થાનને ભેદનાર છે. પ્રાણી ધર્મથી રાજા અને છે, ધર્મથી રામ ( ખળદેવ ) અને વાસુદેવ થાય છે, ધર્મથી ચક્રવતી થાય છે, ધર્મથી દેવ થાય છે, ધર્મથી ઇંદ્ર થાય છે, ધર્મથી નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં અહમિદ્રપણાને પામે છે અને ધર્મથી અરિહંત પદને પામે છે. ધર્મથી શું શું સિદ્ધ થતું નથી ? દુર્ગતિમાં પડતા જંતુને ધારણ કરનાર હાવાથી જ
SR No.032368
Book TitleBhimsen Nrup Tatha Kandu Rajani Katha
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1933
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy