SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ વિશાળ સગત જયભિખ્ખએ ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત કૉલમનો એવો જાદુ જમાવેલો કે એ વાંચ્યા વિના ચાલે જ નહીં. ગુજરાત સમાચાર' જેમના કારણે ગરવું લાગે એ કેટલીક કૉલમોમાંની એક તે ઈટ અને ઇમારત'. આ ઇમારતના સ્થાપક શ્રી જયભિખ્ખએ ચિરવિદાય લીધી પણ એમની ઈંટ અને ઇમારત' અડીખમ ટકી રહી, તેમના પનોતા પુત્ર કુમારપાળની કલમના વાચકસમુદાયના કસબે પિતાશ્રીનો સંસ્કારવારસો ને જીવનમૂલ્યોનો વારસો એમના સુપુત્રે જતન કરીને સાચવ્યો; એટલું હિતશિક્ષક જ નહીં, એના વ્યાપ અને વૈભવનો વિસ્તારવિકાસ પણ સાધ્યો. શીલ અને સંસ્કારની શ્રી જયભિખ્ખની ધખના કુમારપાળે છોડી નથી. એ ધખનાથી પ્રેરાઈને તેઓ પાત્ર પ્રસંગ, ઉક્તિ-વિચાર વગેરે દ્વારા કશુંક નગદનપણું આપવા સતત સક્રિય રહે છે. કલમ દ્વારા કેળવણી” – “કૉલમ દ્વારા કેળવણી'નું ઉમદા સૂત્ર વ્યવહારમાં સિદ્ધ થાય એ માટેનો પુરુષાર્થ ‘જ્યભિખ્ખું પછી કુમારપાળ દ્વારા સદ્ભાગ્યે આજેય અવિરત ચાલુ છે. ચન્દ્રકાંત શેઠ કુમારપાળ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રાધ્યાપક થયા તે પહેલાંથી તેઓ લોકોના વિશાળ વાચકસમુદાયના હિતશિક્ષક – સંસ્કારસેવક તો થયા જ હતા. એમના કુલસંસ્કારમાં કંઈક એવું હતું, જેના કારણે સદ્ગણોનો સરવાળો કરવાનું ગમે. જિનશાસનનાં આણ–માન ને શાન પણ જાળવવાની એમના ચિત્તમાં સતત ખેવના. તેથી 432
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy