SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શૈલીમાં પ્રવચનો કરીને તેઓ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકે છે. આ ઉપરાંત સાહિત્ય, સંસ્કૃતિ કે સામાજિક ક્ષેત્રે પણ પ્રવચન આપવા તેમણે ખૂબ પ્રવાસો કરેલા છે. તેમને સાહિત્ય-સંસ્કૃતિસામાજિક અને અધ્યાત્મ ક્ષેત્રે અનેક એવોડ પ્રાપ્ત થયા છે. વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહેવાને કારણે તેમના સંબંધો અદના માણસોથી માંડીને ઉચ્ચ પદવીધરો, શ્રેષ્ઠીઓ અને સમાજના અગ્રણીઓ સાથે વિકસ્યા છે. અમદાવાદ-ગુજરાતમાં કુમારપાળ દેસાઈ એક સુપરિચિત નામ છે. આટલા વિવિધ મોરચા સફળતાપૂર્વક સંભાળનાર – છતાં ચહેરા પર ક્યારેય તનાવ ન દેખાય તેવા કુમારપાળની ક્ષમતા અને શક્તિ ઘણા માટે એક આર્યસમાન છે. સાદગી, વિવેક, નમ્રતા અને નિખાલસતા તેમની અસ્કામતો છે. બહારી દુનિયામાં તેમની પ્રગટ આ શક્તિઓ, સફળતા અને સિદ્ધિના મજબૂત મૂળિયાં ચંદ્રનગર ખાતેના તેમના નિવાસમાં છે – જ્યાં તેમની બહિર્ગત અને અંતર્ગત એવી સકલ ક્ષણોના સાક્ષી અને સાથી પ્રતિમાબહેનનો ઊર્જાસ્રોત તેમને શક્તિમય અને તેજોમય રાખે છે. 254 કુમારથી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy