SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ACT , : ' . . રા , અ કાકા કાલે ** . . *, * ? ક' દમ, *' જનન કન આવા રોહી-સ્વજના સને ૧૯૮૪માં યુ. એન. મહેતાસાહેબ અંગેના એક પ્રસંગમાં ડૉ. કુમારપાળ દેસાઈ સાથે મુલાકાત થઈ અને પછી તો અવારનવાર જુદા જુદા પ્રસંગોએ તેમની મુલાકાતો વધવા લાગી. તેઓ બન્ને એટલા નિકટ આવી ગયા કે જાણે તેમની વચ્ચે વર્ષો પહેલાંના સંબંધો બંધાયેલા હોય. ઘણી વાર તો તેમને મળે સમય વીતી ગયો હોય તો મહેતાસાહેબ તેમના ઘેર પહોંચી જાય અને વીતેલા દિવસોની વાતો કરવા બેસી જાય. મહેતાસાહેબને અવારનવાર ગુરભગવંતોને વંદન કરવા જવાનું થાય, ત્યારે તેમની સાથે થયેલી ધાર્મિક ચર્ચાઓ તથા ઉદ્ભવેલા ધાર્મિક પ્રશ્નોની ચર્ચાઓ તેમની સાથે કરવા બેસી જાય અને એ રીતે મનનું સમાધાન શોધી લેતા તથા પ્રશ્નોનું નિરાકરણ લાવતા. તેમની સાથેની અવારનવારની મુલાકાતથી તેઓ અમારા કુટુંબના એક આગવા સ્નેહી-સ્વજન જેવા બની ગયા છે. તેમની સાથેની આત્મીયતા વધવાનું તથા વધુ નજદીક આવવાનું એક કારણ મહેતાસાહેબનું જીવનચરિત્ર લખવાનું તેમણે શરૂ કર્યું તે પણ હતું. તેના કારણે તેઓ વારંવાર અમારા ઘેર આવતા. મહેતાસાહેબના જીવનની નાનામાં નાની વિગતો પૂછી વિષયના ઊંડાણમાં ઊતરતા. અમારા કુટુંબના દરેક સભ્યો સાથે બેસી ગોષ્ઠિ કરી તે વાતો પોતાના ચિત્તમાં ગોઠવીને સાહિત્યની ભાષામાં કાગળમાં ઉતારતા ગયા અને તેના ફળસ્વરૂપે તેમણે મહેતાસાહેબનું જીવનચરિત્ર “આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' એ શીર્ષક નીચે અમને અર્પણ કર્યું. જેમ જેમ એ પુસ્તક અને વાંચતાં ગયા તેમ તેમ શારદાબÈન યુ. મહેંતા, 171
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy