SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા પત્રોમાં પરમાત્માની પૂજાની થોડી થોડી વાતો કરી હતી. તે વાતો હજુ પણ ચાલુ રાખવાની જ છે. એના અનુષંગે થોડીક બીજી વાત આ પત્રમાં કરી દઉં. વાત એમ છે કે, શ્રીઅરિહંત પરમાત્માની સાક્ષાત અનુપસ્થિતિમાં તેમનાં બે સ્વરૂપો આપણાં માટે આલંબન રૂપ ગણાયઃ ૧. પ્રભુજીની પ્રતિમા એટલે કે ભૌતિક દેહ; ૨. તેમનાં આગમો એટલે કે અક્ષર દેહ. આપણે ત્યાં જેટલો મહિમા જિનપૂજાનો ગવાયો છે, તેટલો જ મહિમા જિનાગમની ઉપાસનાનો પણ ગવાયો જ છે. ખરેખર તો જિનપૂજા યથાર્થ રૂપમાં કરવી હોય અને સમજવી હોય તો તે માટે જિનાગમો પાસે જવું જ પડે. આગમોના અધ્યયન અને સ્વાધ્યાય દ્વારા જ સાચા સ્વરૂપનો ધર્મ સમજી શકાય તેમ છે. પરંતુ અફસોસ છે કે આપણાં શ્રાવકો-શ્રાવિકાઓને ભણતરની કે સ્વાધ્યાયની જરા પણ પડી નથી. સ્નાત્ર અને પૂજાઓ ખૂબ ભણાવાય છે. પરંતુ તે બધાંમાં પણ શાસ્ત્રોના ગંભીર પદાર્થો તથા રહસ્યો ગુંથી-ગોઠવી દેવામાં તો આવ્યા જ છે. જો એ બધાંના અર્થ સમજવાની પણ ચીવટ અને મહેનત કરવામાં આવે, તો આગમોના તથા શાસ્ત્રોનાં અનેક રહસ્યો પામી શકાય. અને તે પછી એ બધું કરવામાં અલૌકિક આનંદની અનુભૂતિ મળ્યા વિના નહિ રહે. | સ્વાધ્યાય અને અધ્યયન એ શ્રુતજ્ઞાનની ઉપાસના છે. શ્રુતજ્ઞાન એ સ્વયં અરિહંત પરમાત્માની વાણી દિશના સ્વરૂપ છે. તેથી તેની ઉપાસના એ અરિહંતની જ ઉપાસના ગણાય. શ્રુતજ્ઞાનની ઉપાસનાથી અજ્ઞાન ઓછું થાય, સમક્તિ-શ્રદ્ધા દઢ તેમજ નિર્મળ બને, જ્ઞાનાવરણીય કર્મ ખપે, પ્રભુની તથા પ્રવચનની આરાધનાનો લાભ મળે; અને આત્માની ઉન્નતિ થાય. શાણો ધર્મી આત્મા આટલા બધા લાભોથી પોતાની જાતને વંચિત કેવી રીતે રાખી શકે એ જ હજી સમજાતું નથી. દરેક વ્યક્તિએ બને તો રોજ એક સામાયિક કરવું જોઈએ. ન બને તો અઠવાડિયામાં ત્રણ સામાયિક અવશ્ય કરવા ઘટે. તેમાં બીજી કોઈ ક્રિયા કરવાને બદલે બે કે પાંચ પ્રતિક્રમણનાં સૂત્રોનું વાંચન, અધ્યયન, શુદ્ધીકરણ, અર્થધારણા ધાર્મિક
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy