SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ બસ્મિલકુમાર એ પ્રમાણે વિમલાના મુખથી કથા સાંભળીને કમલા મન રહી. એટલામાં ચાલતા રથથી કેટલીક અટવીને ઉજજડ પંથ કાપતાં આગળ માર્ગમાં શંખાદિ વાજીત્રના ધ્વનિ તેમને કાને પડ્યા. તે સાથે હાથી, ઘોડા, રથ વગેરેથી સુસજજ સુભટેનું લશ્કર સામે આવતું અને ધ્વજાઓ ફરકાવતું એમણે જોયું. –” – પ્રકરણ ૫૬ મું. ચંપામાં.” માર્ગમાં આવતાં જે ચેરોને મેં હણ્યા હતા એના સાગરીતે વૈરીનું પ્રતિશોધન કરતાં મારી સાથે લડવાને આવ્યા જણાય છે. અસ્તુ ! એવા વિશાળ સૈન્યની પણ શી ચિંતા દેવના કાર્યની ચિંતા તે એ પોતેજ રાખે છે, માણસ તો માત્ર પ્રયત્ન કરે છે.” ધમ્મિલ ઉપર પ્રમાણે ચિંતવતા હતા. તેમજ આવું મેટું લશ્કર જોઈને વિમલાને કમલા પણ ભયથી આકુળ વ્યાકુળ-હાવરાં બની ગયાં હતાં. તેમને ધમિલે ધીરજ આપીને કે-“જીવું છું ત્યાં લગી તમારે ડરવું નહિ. જે દેવે આજ સુધી આપણું રક્ષણ કર્યું છે તેજ આપણને અત્યારે પણ બચાવશે, માટે તમારે ચિંતા કરવી નહિ.” ધમિલ તેમને તે પ્રમાણે સમજાવતો હતો, એટલામાં તે એ સન્યમાંથી એક સુંદર પુરૂષ હથીયાર રહિત સામ્યવેશ ધારણ કરેલ પસ્મિલની આગળ આવ્યું. તેને આવતો જોઈને ધમ્મિલે ચિંતવ્યું કે “આ કેઈ દૂત જે સમાચાર લઈને આવતો જણાય છે.” એટલામાં તે પુરૂષ ધમ્મિલ પાસે આવીને પિતાના મસ્તકે બે હાથ જોડી એને પ્રણામ કરતે બે -“હે આર્યપુત્ર ! અહીં નજીકમાં અંજનાચલ ગિરિ દેખાય છે, ત્યારે પલ્લી પતિ અજીતસેન રાજા મોટે પૃથ્વીપતિ છે, તમે જે અર્જુન ચેરને માર્યો તે અમારા સ્વામી ઉપર બહુ દ્વેષ કરતો હતો અને હેરાન કરતું હતું. તેને હમણુજ તમે મારી નાખે, એવું ચરદ્વારા સાંભળીને તમારી ઉપર સ્નેહભાવ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy