SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ વિરમતિ: રાટ થતી જતી હતી. એ મજબૂત અને સમર્થ વ્યક્તિમાં અત્યારે અલ્પ પણ શક્તિ ન હતી. “જોયું પાપ પુન્યનું પરિણામ! આખરે તે આ હાલ છે. જે ધનમાલ માટે તે અનર્થ કર્યો, વિદ્યાઓ સાધ્ય કરી, અજમાવી, શક્તિઓને ગેરઉપયોગ કર્યો, એ સર્વ આજે કયાં છે? અરે મુસાફર ! કડો ગમે એકઠું કરેલું દ્રવ્ય આપતાં મૃત્યુથકી બચતે હે તો બચ!” કુંવરે તેને કહ્યું. ચર બેલ્યો-“એ ક્રૂર મૃત્યુના ભયથી કઈ બચાવનાર નથી, પ્રભુ એકજ એના થકી છેડાવનાર છે.” તે વિશેષ ન બોલી શક્ય. તુટક તુટક માત્ર એટલાજ શબ્દો તેના મુખમાંથી નીકળ્યા. શરીર ઠંડું પડવા લાગ્યું. “તારા ત્રાસથી આખું આ કાશી નગર ભયથી વિહળ અને અશાંત હતું. આવતીકાલથી તે નિર્ભય થશે. તારે નાશ સાંભળીને તે સર્વે ઘણા ખુશી થશે. જેને જેને માલ હશે તે તે લેકેને સેંપવામાં આવશે. ભલા માણસ ! તેં એકઠી કરેલી દોલત તે અહીંયાંજ રહી, તે કાંઈ તારી સાથે આવી નહી. પણ ખચીત તે નિમિત્તે એકઠું કરેલું પાપકર્મ તે જરૂર તારી સાથે આવશેજ. ઘણુ કાળ પર્યત તે તને હેરાન કરશે. સમજજે કે આ તો હજી તેની શરૂઆત છે. એટલું સાંભળતાં તે ચેરને ડચકાં આવવા લાગ્યાં. ત્રીજે ડચકે આ સંસારની જીવનયાત્રા પૂરી થઈ. એ અમર આત્મા આ મનુષ્યભવનું મકાન ખાલી કરીને તથા પ્રકારના કર્મોને અનુસાર મળેલા નવા મકાનમાં ચાલ્યો ગયો. તેના મૃતકને જેતે કુમાર ગણગ. “ કે મજબૂત અને વિદ્યાસંપન્ન વીરનર હતો છતાં અનીતિથી એને નાશ થયો. આખરે તો સત્યનોજ જય થયો.” પ્રકરણ ૩૭ મું. વિરમાત. અગડદર કુમાર ચેરનું વાસભુવન જેવાને તેની આપેલી નિશાનીએ ગયે. મોટા વડલાના કોતરમાં પ્રવેશ કરીને બળપૂર્વક પત્થરની શિલા તેણે ખસેડી નાખી અને તે ભેંયરામાં-પાતાલમાં
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy