SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ દેશવટો. ૧૭ નથી; માટે અવસર ઉચિત તેની ભક્તિ કરૂં તેને યોગ્ય સલાહ આપું.” એમ ધારી તેની પાસે આવી તેણે કહ્યું કે–“ભાઈ ! આવી મધ્યરાત્રે આમ એકલા કેમ જણાઓ છે? છે તે કોઈ રાજવંશી જેવા ને આમ એકાકી કેમ?” નિમિત્તિયાએ પૂછ્યું. હા, એક દિવસ તેમ હતું પણ અત્યારે હું તે સ્થાનથી ભ્રષ્ટ થયો છું. પિતાના કેપને ભેગા થયો છું.” દુઃખ અને ભૂખ તરસથી પીડાતા કુમારે જવાબ આપે. હોય ! વિધિની માયા છે. યુથ વિધિ જે કરે છે તે સારું જ કરે છે. માણસને માથે દશા વીશી આવે છે. ઉત્તમ પુરૂષોને જ આફત આવે છે, બીજાને નહિ. રામચંદ્રજીને ચાર વર્ષ વનવાસ વેઠ પડ્યો. પાંડવ સરખા સમર્થ વીરપુરૂષે પણ વનવન રખડ્યા. ચંદરાજાને બાર બાર વર્ષ પર્યત અપરમાતાના પ્રતાપથી મનુષ્ય છતાં તિર્યંચ-કુકડાને અવતાર ભેગવ પડ્યો, માટે દુઃખમાં ધીરજ રાખવી, ભાઈ ! સર્વે સારૂં થઈ જશે. ઉત્તમ પુરૂષે પિતાની લક્ષ્મી ભેગવવા કરતાં બાહુબળથી લક્ષ્મી ઉપાર્જન કરવી જોઈએ. તમારે પણ પરદેશમાં તમારા ભાગ્યની કોટી કરવી જોઈએ.” નિમિત્તિયાએ અવસરચિત સલાહ આપી. મહારાજ! તમે કોઈ પંડિત જણાએ છે. પંડિતની સલાહ હમેશાં સમયોચિતજ હોય છે, તેવી જ તમારી પણ છે.” કુમારે જવાબ વાળે. - “હશે ભાઈ! દુખીને ધીરજ દેવી તે અમારી ફરજ છે, પણ ભાઈ! તમે ભૂખ્યા લાગે છે. મારી પાસે ભાતુ હાજર છે. જરી નાસ્તે કરશો ? તેણે ભેજન માટે આમંત્રણ કર્યું છે : જેવી તમારી ઈચ્છા.” પેટમાં ભૂખ તે હતી જ, પિતાના આખરી હકમ પછી કોઈએ તેને અન્ન પાણી માટે ભાવ પણ પૂછ નહોતે. વળી રખડવાથી થાકી લોથપોથ થઈ ગયું હતું. સુધાએ તેમાં વધારો કર્યો હતો, જેથી ભટ્ટજીનું–નિમિત્તિયાનું આમંત્રણ તરત જ સ્વીકારી લઈ ઝટ ઉભે થયે. - “પધારે ત્યારે.” નિમિતિ તેને પિતાનું પિોટકું હતું
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy