SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૬ ધમ્મિલ કુમાર. ગયે. બીજી વખત પણ એ ખેચરે તેમની નિદ્રાને લાભ લઈને એકને સમુદ્રમાં ને બીજીને પર્વત ઉપર ફેંકી દીધાં તે પાછાં તેજ આશ્રમમાં મળીને કુળપતિની રજા લઈને નીકળ્યાં ને અહીં રાત્રી રહ્યાં. નિદ્રા એ જે કે સર્વ ગુણને ઘાત કરનારી છે, છતાં કેટલાકને એ સુખદાયક પણ છે. દુઃખીઓને, રોગીઓને, ચિંતાતુરને નિદ્રા એજ વિશ્રાંતિનું સ્થાનક છે. પિયણુને રાત્રી સુખદાયક છે. નિશાચરેને-ઘુવડને રાત્રી સુખ આપનારી છે, ત્યારે સૂર્યવિકસિત કમળો રાત્રી આવતાં સંકોચ પામે છે. ચકર અને ચકેરી વિયેગમાં જ રાત્ર નિર્ગમન કરે છે. કુમાર પ્રિયાને મીઠી મીઠી વાતે સંભળાવતે હતા, એટલામાં પ્રિયાને નિદ્રા આવી ગઈ. જેથી પોતે પણ સુવાની તૈયારી કરવા લાગે. વળી વિચાર થયો કે “એને એ દુષ્ટ વિદ્યાધર આ વખતે પણ આવીને અમારી ગફલતનો લાભ લઈ જાય?” એમ ધારી પ્રિયાને એકલી છેડી તે નજીકમાં સંતાઈ ગયે. તરતજ એ દુષ્ટ વિદ્યાધર તેમને પાછાં મળેલાં જોઈ જુદાં કરવાને ત્યાં આવ્યું. પરન્તુ સ્ત્રીને એકલી જોઈને ચમ, છતાં પણ જેવો સ્ત્રીને ઉપાડવા જાય છે, તેવોજ કુમારે ખળું ખેંચીને પડકાર્યો. “રે દુષ્ટ ! ઉભું રહે, આજે તું મારા સકંજામાં આવ્યો છું, હમણાંજ તને તારા બંધને સ્થાનકે રવાને કરું છું. ” - કુમારનો ગર્જના ભર્યો પડકાર સાંભળીને એ વિદ્યાધર વાઘની આગળ બકરાની માફક થરથર કંપવા લાગ્યું. એ રાંકડે કરગરવા લાગ્યો-“અરે કુમાર ! એક વખત મને માફ કરીને છેડી મુકે ! હવે કઈ વખત તમને હેરાન કરીશ નહિ.” દુષ્ટ ! મારા સકંજામાં આવેલો તને જવા દઉં! કહે હવે તને શી શિક્ષા કરૂં? બેભાન-નિદ્રામાં પડેલા માણસોને ઉચકીને આવી રીતે હેરાન કરે છે તેનું ફળ હવે આજેજ તું ભેગવ. ” એમ કહેતાંજ કુમારે તેની ઉપર તલવાર ઉગામી. એ વિજળીની કાંતિસમી ખર્શધારા જોઈ ભય પામેલે વિધાધર કુમારના ચરણમાં પડીને માફી માગવા લાગ્યા, વારંવાર આજીજી કરવા લાગ્યા. દયા આવવાથી કુમારે ખડ્ઝ મ્યાન કર્યું અને
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy