SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ બસ્મિલ કુમાર, ૧૧૮ . મારા સર્વાત્તમ વસ્ત્રાલકારામાં સજ્જ થઈને સ્વયંવરમ ડપમાં આવ્યા. તેમને નાકરાએ પાતપેાતાને ચાગ્ય ગેાઠવેલા મચાએ ઉપર બેસાડ્યા. જ્યારે ગુણવર્મા કુમાર સજજ થઇને મંડપમાં આવ્યા ત્યારે તેને જોઈને સર્વે રાજાએ નિરાશ થઇ ગયા. કનકવતીને પ્રાપ્ત કરવાના તેમના હવાઇ વિચારા હવામાં મળી ગયા. એટલામાં સ્નાન કરીને જેના અંગે ચંદનનુ વિલેપન કર્યું છે એવી સર્વાંગે અલંકારાને ધારણ કરતી કનકાવતી પાલખીમાં બેસીને વાત્રાના નાદ સાથે આવતી નજરે પડી, અને સર્વે રાજાઓનું ધ્યાન તેના ભણી આકર્ષાયું. એક સખી વરમાળા લઇને પાલખીની આગળ ચાલતી હતી. પાછળ સ્ત્રીએ મધુરાં મંગળ ગીતા ગાઈ રહી હતી. પાલખીમાંથી ઉતરીને તે કુવરી સ્વયંવરમંડપમાં આવી કે સર્વે એને જોઇને વિચારમાં પડી ગયા. “અહા ! શું આ તે લક્ષ્મી કે સરસ્વતી ? રંભા કે રિત ? નાગકુમારી કે વિદ્યાધરી ? આ કાણુ હશે ? આ રાજખાળાને જોવામાત્રથી પણ આટલે દૂર આવવાના આપણા પરિશ્રમ સફળ થયા છે.” સર્વ રાજાઓના ચરિત્રાને જાણનારી એક વૃદ્ધા પ્રતિહારી રાજકુમારીને લઇને દરેક રાજાઓને ઓળખાવતી સ્વયંવરમંડપમાં આગળ ચાલી, અને મેલી—“ કુમારી ! સર્વે રાજાએ રૂપ, ચૈાવન અને લક્ષ્મીથી ગર્વિત થયેલા, કામદેવને જીતનારા એવા તને મેળવવાની આશાએ આવ્યા છે, તે એમાંથી તારે લાયક એકને તુ તેમના ગુણ્ણા જાણીને શેાધી લે. જે આ માલવદેશના મહાશાલ રાજા, જેના તાપથી તપેલા શત્રુરાજએ વનમાં જઇને રહ્યા છે; અને જે સેવા કરનારાઓને કલ્પવૃક્ષ સમાન છે. વેલ જેમ વૃક્ષની સાથે વીંટાઈ રહે છે તેમ તારી વરમાળ પણ તુ તેના કઠમાં આરેાપણુ કર. ,, “ જો એ માલવેશ હતા તા એલની માફક સર્વે રાજાઓની આગળ કેમ બેઠા ? ” કન્યાનુ વચન સાંભળીને વૃદ્ધા આગળ ચાલી. “ જો, જેણે પેાતાના પ્રબળ પરાક્રમે કરીને સર્વે રાજાએનાં મસ્તક નમાવ્યાં છે, એવા આ સિંહ સમાન અગાધિપ સિંહનરેશને હે વસે ! તમે વી ! ??
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy