SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન] (વસ્તુતઃ આત્મરૂપ એવો વિરાટ) અંગુષ્ઠ માત્ર (અંગુઠા જેવડો) પુરુષ– [ ૯૭૧ શકે જ નહિ. કેમ કે તે બધાં સુખો વૈયિક હોવાને લીધે મૃગજળની જેમ ક્ષણિક હોય છે. તે દેખવામાં સુખરૂ૫ પરંતુ પરિણામે ભયંકર દુઃખરૂપ નીવડે છે. પરમપદ પ્રાપ્ત થકી જ કાયમી અને અખંડ સુખશાંતિ મેળવી શકાય છે તથા તે પરમ પદ પ્રાપ્તિ માટે તેમાં આજ્ઞાવાકયમાં બતાવેલી અંતિમ વિધિના ધ પ્રાપ કરી લઈ આચરણ વા અભ્યાસ કરવાની અત્યંત જરૂર છે, અતિમ વિધિ સંબંધ માં પ વખતોવખત કહેવામાં આવેલું જ છે છતાં પરિપકવતાને માટે પ્રસંગ શ ત ફરીથી કહું છું. શાસ્ત્રવિધિ કિંવા વેદની અંતિમ આજ્ઞા આ સઘળું દશ્ય આત્મસ્વરૂપ હોઈ હું પોતે પણ આત્મા જ છે અને આ આત્મા એ જ બ્રહ્મ છે. જ્ઞાન પણ એ જ છે તથા તે સ્વતઃસિદ્ધ છે; એ રીતે પ્રથમ દઢ નિશ્ચય કરે અને પછી અંતઃકરણમાં કોઈપણ વૃત્તિને ઊઠવા જ નહિ દેવી તથા જો કદાચ ઉઠે તો તેને તત્કાળ આત્મસ્વરૂપમાં જ દાબી દેવી તેમ જ એવો દાખનારો હું પોતે પણ તક જ છે, એ મુજબ પોતા સહિત તમામ ભાવોના વિલય કરી નાંખે તથા અનિર્વચનીય થવું. આ જ તે વેદોમાં કહેલી અંતિમ આજ્ઞા કિવા ભગવાને કહેલી શાસ્ત્રવિધિ છે. પરંતુ જ્ય સધી આ ઉચ્ચતર શાસ્ત્રવિવિની માહિતી છેતી નથી ત્યાં સુધી ઉપર કહેવામાં આવેલાં પાનાં ચૌદ પ્રસ્થાનમાં કહેવાયેલી વિધિનું અવલંબન કરવાથી છેવટે આ અત્યુતર ધ્યેયને પ્રાપ્ત કરી આપનારી અંતિમ વિધિની પ્રાપ્તિ થઈ શકે છે. આ રીતે ધ્યેય પ્રાપ્ત કરી જીવન્મુકત થયેલ ફક્ત શાસ્ત્રવિધિથી પર થઈ શકે છે, સારાંશ શાસ્ત્રવિધિ યા શાસ્ત્ર આનાને છેડી કિંવા શાસ્ત્રનો અભ્યાસ નહિ કરેલો, પિતાના મનમાં આવે તેવું સ્વછંદી વર્તન કરનાર પછી તે પોતાને ગમે તેવો બુદ્ધિશાળી સમજતો હોય અથવા જગતમાંના લોકો તેને મહાન બુદ્ધિશાળી માનતા હોય છતાં પણ તે એક પેય ચૂકેલે નાદાન છે, એમ સમજવું. આથી તે કદી પોતે માની લીધે સિદ્ધિને પણ પ્રાપ્ત કરી શકતો નથી તે પછી તેને પરમગતિની પ્રાપ્તિ કયાંથી થાય? અને પરમગતિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કાયમી સુખ ની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? અત્રે ભગવાને વ્યવહારમાં મનસ્વી વર્તન કરવાને કેઈને પણ અધિકાર નથી એવું નિશ્ચિત સિદ્ધ કરી બતાવ્યું છે. તમાજી પ્રેમાળ તે શાશા થરાતી તથા રાવણનોર્જ દમ શ/દાલ રઝા કાર્યાકાર્યમાં શાસ્ત્ર જ પ્રમાણ છે તસ્માત કે પાર્થ ! કાર્ય અને અકાર્યની અવસ્થામાં તારે માટે તો શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્રોમાં વિધાન કરેલા વિધિને જાણ. તે મુજબ અહીં કર્મો કરવાં એ જ યોગ્ય છે. ભાવાર્થ એ છે કે, ઉપર કહી ગયા તેમ આસરી સંપત્તિવાળાએ પોતાના મનમાં આવે તેમ વગર વિચાર્યું કાર્યો કરતા રહે છે અને તેથી તેઓ કાર્યસિદ્ધિ, પરમપદ કે સુખ કિંવા શાંતિ કદી પણ પ્રાપ્ત કરી શકતું નથી; માટે કાર્યકાર્યવ્યવસ્થિત એટલે કર્તવ્ય કોને કહેવું અને આકર્તવ્ય કેને કહેવું? તે સંબંધમાં નિર્ણય કરવાને માટે આત્માને સાક્ષાત્કાર થતાં સુધી માન્ય એવા શાસ્ત્રને જ પ્રમાણ માન્ય કરવું જોઈએ. કેમ કે બાળકને પોતાનું હિત શામાં છે તેની ખબર હોતી નથી; તેથી તેનાં દરેક કર્મો ઉપર દેખરેખ રાખીને તેને ખાવાપીવા વગેરે તમામમાંથી વખતોવખત પરાવૃત્ત કરવામાં આવે છે. જે તેને મનસ્વી રીતે વર્તાવા દેવામાં આવે તો તે પોતાનો વિનાશ જ કરી લે છે તે જ સ્થિતિ પોતાના મનમાં આવે તેવું સ્વછંદી વતન કરનારની થાય છે. માટે મનુષ્ય કે જે પોતાને મોટો બુદ્ધિશાળી સમજે છે વા નિરહંકારી માને છે, તે વાસ્તવિક બુદ્ધિશાળી હેતે નથી પરંતુ દુરાગ્રહી તથા દુર મમાની હોય છે અને તેવા મિથ્યા અભિમાન વડે તે પિતાના સાચા સ્વરૂપને નહિ પિછાનતાં હાદિક એટલે જ હું એમ માની બેસે છે, એવા આસુરી કિંવા અધમ વૃત્તિના કહેવાય છે. જેનું અંતિમ ધ્યેય આત્માપ્તિ હેઈ તે ધ્યેયની પ્રાપ્તિનો ઉદ્દેશ જેમાં સમાયેલો હોય છે, તેને જ શાસ્ત્ર
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy