SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨]. હિવે વિ હૃશો ના#િ– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૫/૧૯ સૂર્યમાં કરી અંધારું હેઈ શકે ખરું કે તેમ અનિર્વચનીય એવા મારામાં માયા, અજ્ઞાન અને તેનું ત્રિગુણાત્મક કાર્ય કેવી રીતે સંભવે ? આથી જ હું ક્ષર અક્ષર એ બંનેનું ઉલ્લંધન કરીને તે કરતાં પણ પાર પહેચેલ હેવાથી જીવન્મુક્ત છે તથા વેદોમાં હું પુરુષોતમ એવા નામ વડે પ્રસિદ્ધ છે, એમ મેં પ્રથમ કહ્યું છે. માટે હે ભારત ! દેહાદ રહિત એવા પુરુષોત્તમરૂપ મને જે જાણે છે તે જ સર્વવિદ એટલે . જેને હવે કશું જાણાવાપણું રહ્યું નથી એવો સર્વજ્ઞાન ભંડારરૂપ છે એમ જાણુ. માટે હે પાર્થ! હું સર્વમાં રહેલો છે અને નથી પણ રહ્યો તેમ જ હું કતાં પગ છે તથા અકર્તા પણ છે, એ રીતે ઉપર વર્ણવ્યા પ્રમાણે પુરુષોત્તમની જ જે પોતાહ સર્વમાં ભાવના રાખવામાં આવે તે સંસારમાં પ્રસંગવશાત આવી પડેલાં તમામ કાર્યો કરવા છતાં તેનામાં યત્કિંચિત પણ અહંતા અને મમતા થતી નથી. કારણ કે અંતઃકરણમાં હું એટલે આ પુરષોત્તમ છે એ સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેનાર અર્થાત આ વગર બીજી કઈ પ્રવૃત્તિ જગતમાં છે જ નહિ એ રીતે જાણનાર મનુષ્યને જ ખરો વૈરાગ્યશીલ સમજ. જે પુરુષને હું કાંઈ કરતો નથી એવો દઢ નિશ્ચય હોય, તે પુરુષ ભેગોના સમૂહની કામનાથી કાંઈ તજે કે ગ્રહણ કરે એમ સંભવતું નથી. હું હંમેશા અકર્તા જ છે એવી નિશ્ચયાત્મક ભાવનાના દઢપણાને લીધે પરમસુખ નામની સમતા જ અવશેષ રહે છે અથવા હું તમામ દશ્યાદિને કર્તા છે એમ બધે વિશાળપણાની અર્થાત સમર્પણની ભાવનાથી રહેવાની જે તારી ઇરછા હેય તો તેમ રહેવું, એ પણ ઉત્તમ જ છે. સારાંશ કે સર્વાત્મભાવની કિંવા નિઃશેષભાવની, આ બે પૈકી ગમે તે એક ભાવના કરી તેમાં જ તદ્દન નિશ્ચલ થઈ રહેવું. અ! હું આ સઘળા દયાદિ ભ્રમને કદી કર્તા જ નથી એટલે મારામાં આ દત્યાદિનો લેશમાત્ર પણ નથી અને આ ભ્રમ જે વડે થઈ શકે એવો જુદે કોઈ મારાથી સંભવત પણ નથી, એ જો દઢ નિશ્ચય થાય તો પછી તેના ઉપર રાગદ્વેષ થવો સંભવનીય નથી. કેમ કે આ શરીરને કઈ લાડ લડાવે કે ત્રાસ દે તે તે ત્રાસ પણ મેં જ દીધું અને લાડ પણ મેં જ લડાવ્યાં, એવો દરેક ઠકો માટે તેનો પાકો નિશ્ચય હોય તે પછી તેને કોઈના ઉપર રાણ અથવા ઠેષ કેમ જ થાય? આ દશ્યરૂપી જાળનો ક્ષય મને દુઃખરૂપ છે અને ઉદય મને સુખરૂપ છે, એ રીતે નાશને માટે દુઃખભાવના તથા ઉત્પત્તિને માટે હર્ષભાવના, એ બંને ભાવનાને કર્તા હું જ છે એવો જે નિશ્ચય હેય તે પછી હર્ષ કિંવા દુઃખને પ્રસંગ જ કયાંથી આવે ? સુખને ઉત્પન્ન કરનારો પણ હું જ છે અને દુઃખને ઉત્પન્ન કરનારો પણ હું જ છે તેમ સુખદુઃખ પણ હું જ છે; એ રીતે પોતામાં જ સર્વનું કર્તાપણું માનવામાં આવે તો ખેદ અને હર્ષ પોતાની મેળે જ શાંત થાય છે અને પછી સમતા જ અવશેષ રહે છે. આ સમતા એ જ સાચી આત્મસ્થિતિ છે. માટે તે સર્વના કર્તાપણાને તથા અકર્તાપણાને પણ છોડી દે તેમ જ તે સાક્ષીભાવને પણ ત્યાગ કરી દે અને પછી શેષ રહેનારી સ્વાભાવિક સ્થિતિમાં જ સ્થિર રહે. કર્તા અને અકતપણાના નિશ્ચયથી રહેવા કરતાં પણ તે બંને નિશ્ચયના સાક્ષીભાવનો પણ વિલય કરીને અખંડ પૂર્ણાનંદ અને એકરસરૂપે રહેવું એ જ નિશ્ચય સર્વથી અતિશ્રેષ્ઠ છે. હું તને વારંવાર તેની જ ભલામણ કરી રહ્યો છું. તેનું કારણ એ છે કે હું સર્વને કર્તા છે અને તેથી સર્વરૂ૫ છે એવા સર્વાત્મભાવને નિશ્ચય જે રાખવામાં આવે તો તેમાં કર્તાપણાના અભિમાનરૂપ તેમજ અનંત બ્રહ્માંડે કિંવા તમામ દસ્ય જાળ પોતાનું સ્વરૂપ છે એવું પોતાના સ્વરૂપમાં મર્યાદિત થવારૂ ૫ કલંક સૂમરીતે રહી જવા પામે છે અને હું કાઈ નો કર્તા નથી અને કર્તા નહિ હોવાથી દેહ સહ દશ્યાદિનો મારામાં કિંચિત્માત્ર પણ સંબંધ નથી એટલું જ નહિ પણ તેને જાણનાર સાલી સાથે પણ મારે તલભાર સંબંધ નથી. આવા નિશ્ચય વડે જે છે જીવને સ્વ૫ શદ્ધ થાય છે પરંતુ તેમાં પણ કિંચિત કલંક તે ગુપ્ત રીતે શેષ રહેવા પામે છે. છતાં આ બે પિકી ગમે તે એક નિશ્ચય રાખવામાં આવે તો અભ્યાસ વડે ભવિષ્યમાં તે થકી પર જઈ શકાય છે. એટલે જ અભ્યાસને માટે આ બે નિશ્ચો પૈકી ગમે તે એક રાખવાને માટે તેને વારંવાર કહેવામાં આવેલું છે, છતાં આ બંને નિશ્ચયોમાં સૂમ રીતે થોડું કલંક રહેવા પામે છે. જેમ આકાશને આકાશ કહેવું એટલે આકાશ છે એમ કહેનાર તે થકી ભિન્ન રહે છે અને આકાશમાં હું અને આ દસ્માદિ નથી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy