SearchBrowseAboutContactDonate
Page Preview
Page 868
Loading...
Download File
Download File
Page Text
________________ થતાહન] જે જાતવેદા (અગ્નિ) અરણીમાં અસુપે રહે છે, [ ૭૩૯ તેનું અપરોક્ષજ્ઞાન થતાં સુધી તે તવ જ જમવડે આ જગતદિ નાનાવિધ દસ્પરૂપે સત્ય હોવાનું ભાસે છે, તેથી તે ભમના નિવારણના અર્થે ભગવાને આ યુક્તિના આશ્રય વડે અત્રે સમજાવ્યું છે કે વસ્તુતઃ આત્મ એવા તેના આ સાક્ષી તવનો માયાની સાથે જ ઉત્પત્તિ અને નાશ થતું હોવાથી તે કહે છે. એટલે આ સર્વને સાક્ષી, દ્રષ્ટા કિવા માટે પાધિક એ ઈશ્વર (વૃક્ષાંક ૨) એ જ ક્ષર પુરુષ કહેવાય છે. આ સર્વ દક્ષ્યાદિ આના આધાર ઉપર જ અવલંબે છે. જે ઈશ્વર ન હોય તે માયા તથા તેના કાર્ય૨૫ ભૂતો વગેરેનું કિંચિત્માત્ર પણ અસ્તિત્વ સંભવતું નથી, તેથી તે સર્વનું મૂળ બીજ હાઈ બીજાંકુરન્યાયાનુસાર આ કાર્ય અને કારણરૂપ ચરાચર દૃશ્યજાળ(ક્ષાંક ૩ થી ૧૫ શ ) પણ ઈશ્વરથી અભિન્ન જ હેવાથી ભગવાને આ સંવ ભૂતમાત્ર ક્ષરપુરુષ જ છે એમ કહેલું છે. જેમ આકાશમાંથી ઉતપન્ન થયેલા વાયુ, જળ, વહ્નિ અને પૃથ્યાદિ પાંચ મહાભૂતો આકાશરૂપ જ છે તેમ ઈશ્વર કિંવા ક્ષરપુરુષ (કક્ષાંક ૨) માંથી ઉત્પન્ન થયેલું આ સર્વ દશ્ય જાળ ઈશ્વર કિંવા ક્ષરપુરુષરૂપ જ છે. જેમ સુવર્ગમાંથી બનાવેલા દાગીનાઓ સુવર્ણ૨૫ જ છે અથવા પાણીમાંથી બનેલો બરફ (હિમ) પાણીરૂપ જ છે તેમ ઈધર એવા ક્ષર પુરુષમાંથી ઉત્પન્ન થયેલ આ સર્વ માયા૫ પ્રકૃતિને ખેલ પશુ ઈશ્વર કિંવા ક્ષર (વક્ષાંક ૨)રૂપ જ છે, એમ નિશ્ચિત જાણુ. ક્ષર અક્ષર પુરુષ લેકમાં કેમ ગણાય? શ્રીભગવાન બોલ્યાઃ ક્ષર અને અક્ષર એવા બે પુરુષો આ લોકમાં જ કહેવાય છે, એટલે આ બે પુરુષોની ગણતરી લોકમાં જ થાય છે. જેમ આકાશમાં ભેદ નહિ હોવા છતાં મઠની ઉપાધિને લીવે તેમાં રહેલું મહાકાશ અને મઠની બહાર રહેલા આકાશમાં મહાકાશ એવા મિથ્યા ભેદભેદથી ક૯પવામાં આવે છે અને તેને જ આ બંને આકાશ છે એમ લોકેમાં એટલે વ્યવહારમાં કહેવામાં આવે છે; તેમ જ માયાની ઉપાધિને લીધે તેનો સાક્ષી વા દ્રષ્ટા એ માય પાધિક ઈશ્વર કિંવા પુરુષ કહેવાયો, અને તે કરતાં પર એવો આત્મા એ અક્ષર કહેવાયો, આ રીતે લોકોની દૃષ્ટિએ સમજાવવાને અર્થે તેને ક્ષર અને અક્ષર એવા નામોની સંશાઓ શાસ્ત્રમાં આપેલી હોવાથી તે બંને લોકોમાં ગણાય છે. આ સર્વ લેકવ્યવહાર નામરૂપાદિ ભેદે વડે જ ચાલી રહેલો જોવામાં આવે છે, અર્થાત આ સર્વ લોકવ્યવહારનું સ્વરૂપ નામરૂપ જ છે, તેમ આત્મા કે જે વાસ્તવિક તદન અનિર્વચનીય છે છતાં જેમ ઘટ અને મઠની ઉપાધિ વડે એક આકાશને જ ઘટાકાશ અને મઠાકાશ એમ કહે છે તેમ આ અનિર્વચનીય પરમાત્માને જ મિથ્યા દર્યાવ્યવહારની માયિક ઉપાધિને લીધે સાક્ષી કિવા ક્ષરપુરુષ એવા નામ વડે તથા આત્મા કિંવા અક્ષર પુરુષ એવા નામ વડે સંબોધવામાં આવે છે. આ નામો વ્યવહારમાંના હોવાથી તે બંનેને લોકમાં જ ગણેલાં છે. ઉદ્દેશ એ કે, પરમાત્માને આ ક્ષરપુરા(ક્ષાંક ૨) છે કિંવા અક્ષરપુરુષ (વૃક્ષાંક ૧) છે એવા નામની ઉપાધિ પણ સ્પર્શી શકતી નથી, એવો તે તદન અનિર્વચનીય છે. એ પ્રકારને ભાવ બતાવવાને શ્રીકૃષ્ણ ભગવાનનો હેતુ આમાં સ્પષ્ટ તરી આવે છે. उत्तमः पुरुषस्वन्यः परमात्मेत्युदाहृतः । यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥ १७ ॥ ઉત્તમ પુરુષ અથવા પરમાત્મા હે પાર્થ ! આ બેથી ઉત્તમ પુરુષ તે અન્ય એટલે જુદો જ છે (જુઓ વૃક્ષાંક ), જે પરમાત્મા એવા નામથી કહેવાય છે. એટલે ઉપર કહેલા ક્ષાર અને અક્ષર પુરુષ એવા લેકનામને પણ કલંક નહિ રહે એવું તે આત્મપદ તદ્દન નિર્લેપ તથા અત્યંત શુદ્ધ હેવાથી તે આથી ૫ણ ૫ર છે, એવી અનિર્વચનીયતા અથવા સુષુપ્ત મૌનની કલ્પના દર્શાવવાને માટે તેને પરમાત્મા અર્થાત પરમ આત્મા એવી સંજ્ઞા આપવામાં આવેલી છે, તેમ જ તે સર અને અક્ષર પુરુષથી પણ ૫ર કિંવા ઉત્તમ છે એવી સંજ્ઞા દર્શાવવાને માટે તેને ઉત્તમ પુરુષ (પુરુષ+ઉત્તમ=પુરુષોત્તમ)એ નામથી સંબોધેલું છે (જુઓ વૃક્ષાંક 9). જેમ મને નાશ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy