SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર૮ ] મુમિયત | તૌ તસ્ / J [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીર અ. ૧૫/૧૫ તેણે પોતાના સાક્ષીરૂપ “હું” (વૃક્ષાંક ૨)ને પૂછ્યું: હે સાક્ષીરૂપ “હું” (વૃક્ષાંક ૨) હું કોણ? મારું મૂળ સ્થાન અને સ્વરૂપ કયું? આ પ્રશ્ન સાંભળીને સાક્ષી તેને કહે છે કે હું (વૃક્ષાંક ૩). તું ( વમ),* તે (તત), છે (અસિ ) એટલે તે અર્થાત આત્મા કિંવા બ્રહ્મ(વક્ષાંક ૧) છે. આમ તું જે તારું પોતાનું મૂળસ્થાન અથવા સ્વરૂપ જાણવાની ઈચ્છા રાખે છે તે સ્થાન તે અનિર્વચનીય હોઈ તે કેવળ તવાર્થ વડે જ જાણી શકાય તથા અનુભવ વડે જ કળી શકાય તેવું છે. તેને વ્યવહારમાં આત્મા, બ્રહ્મ, જ્ઞાન, તત સત , ચિત કિંવા અક્ષર પુરુષ ઇત્યાદિ મિથ્યા નામની સંજ્ઞા વડે આરેપિત શબ્દોથી સમજાવવામાં આવેલું છે; એવું જે અનિર્વચનીય રથાન તે જ તું છે. કારણ કે કર્તા, કરણ, કાર્ય; જ્ઞાતા, જ્ઞાન, ય, દ્રષ્ટા, દર્શન, દય ઈત્યાદિ તમામ ત્રિપુટીઓનો વિલય તે તારામાં એટલે કુરણુરૂપ હું(વૃક્ષાંક ૩)માં જ થયેલો છે તથા તારે એટલે આ બહુ' (વૃક્ષાંક ૩)નો વિલય મારામાં એટલે સાક્ષી(ક્ષાંક ૨)માં થયેલું છે, પરંતુ તે (તત, વૃક્ષાંક ૧) સ્થાનમાં તે તુરૂપ “હુ'' (વૃક્ષાંક ૩ ) તથા તેને સાક્ષી જે ઇંરૂપ શુદ્ધ હું (વૃક્ષાંક ૨ ) એમ આપણે બંને નથી, એવું તે પદ તદ્દન અનિર્વચનીય છે. જેમ અરીસામાં પ્રતિબિંબ પડે છે. આથી બિંબ પ્રતિબિંબન મૂળ અધિષ્ઠાન તે અરીસો છે. અરીસો ન હોય તે બિંબનું પ્રતિબિંબ પડી શકે જ નહિ. વળી બિંબ એ તો પ્રતિબિંબનું પ્રેરક ગણાય, અરીસાનું નહિ. અરીસાનો સાથે તે આ બિંબ અને પ્રતિબિંબ બંનેનો લેશમાત્ર પણ સંબંધ હોતો નથી. એ બંને હો યા ન ; અરીસે આ બિંબ અને પ્રતિબિંબ હોવાં જ જોઈએ એવું કદી ઈચ્છતે પણ નથી અને ન હોવાં જોઈએ એવી રીતે તેને ત્યાગવાની પણ ઇચ્છા કરતો નથી તેમ તે જાણતો પણ નથી કે મારામાં પ્રતિબિંબ પડેલું છે. વળી હોય તે તે પ્રતિબિંબ કાંઈ અરીસાથી મિન પણ હોઈ શકતું નથી પરંતુ અરીસારૂપે જ હોય છે, તેમ આ અનિર્વચનીય એ છે આત્મામાં તે આ રતિરૂપ હું (વૃક્ષાંદ ૩) તથા તેના સાક્ષી (ક્ષાંક ૨) કરીને કોઈક છે કે નથી તેનો તેને કલ્પના પણ વિદો આ અનિર્વચનીય, શાંત, નિર્મળ, સ્વચ્છ અને ચિતન્યઘન એવા તત્વને સમજાવવાને માટે જ “જ્ઞાનવ્રજ્ઞ' જ્ઞાન એ જ બ્રહ્મ છે (ઋગવેદ ઐતરેય ઉપ૦); “બઘું જ્ઞામિ' હું બ્રહ્મ છે (યજુર્વેદ બૃહદારણ્યક ઉપ૦), “તરવમસિ” તે તું છે (સામવેઃ છાંદોગ્ય ઉ૫૦), “ સામરમાં ત્રા” આ આત્મા બ્રહ્મ છે (અથર્વવેદ માંડકય ઉ૫) એમ ચાર મહાવકો વડે નિર્દેશ કરીને “ નેતિ નેતિ' એટલે હજી ઇતિ થયું નથી, પૂર્ણ થયું નથી એમ કહીને મૌન થઈ ગયા છે. શાસ્ત્રનો નિયમ એવો છે કે જે વિષય સમજાવવાનો હોય તેના આરંભમાં અથ” અમુક વિષય આરંભ એમ કહેવામાં આવે છે, અને સમાપ્તિ સમયે “ત” અમુક વિષય સમાપ્ત, એમ કહી તેની પૂર્ણતા કરવામાં આવે છે. એ ન્યાયાનુસાર વેદ કહે છે કે મેં આ અનિર્વચનીય એવું તે પરમતા સમજાવવાનો “' આરંભ તો કર્યો પરંતુ તેની હજી “તિ' પૂર્ણતા થઈ નથી; પૂર્ણતા થઈ નથી. તે પદનો પૂર્ણતા તે તું જ્યારે આ મુજબ સહજભાવે આ અહમ્ (ક્ષાંક ૩)નો તેના સાક્ષી (વૃક્ષાંક ૨ ) સહિત વિલય કરીશ ત્યારે જ અનુભવી શકીશ. આમ જ્યારે તું અહંભાવને વિલય કરીને પ્રત્યક્ષ અનુભવીશ ત્યારે જ તે પદમાં તારી સ્થિતિ થશે. અનુભવ સિવાય અન્ય કોઈ ઉપાય વડે તે લબ્ધ નથી, આ અનિર્વચનીય પદ તે જ અક્ષર પુરુષ છે. આ સાંભળી તે ડું (રક્ષાંક ૩) જાણી શકો કે હું એટલે આ મિથ્યા તું, મારું ઇત્યાદિ કહેવાવાળો નહિ તેમ જ આ હું નો પ્રેરક અથવા સાક્ષીરૂપ(ક્ષાંક ૨) એ ક્ષર પુરુષ પણ નહિ; પરંતુ જ્યાં આ “હું રૂપ અર્તિ (ક્ષક ૩) તથા તેને સાક્ષી કિંવા ક્ષર પુરુષ (વૃક્ષાંક ૨) એ બંને નથી; જે આકાશની જેમ તદ્દન અસંગ, નિર્લેપ, નિરાકાર, નિશુ, વ્યય રડિન, અયન તથા અનિર્વચનીય છે તથા જેને માટે શાસ્ત્રમાં આમાં, બ્રહ્મ, સત્ય તત દયાદિ સંજ્ઞાઓની કલ્પના કરવામાં આવેલી છે, તે જ પિતાનું સાચું સ્વરૂપ છે. એક આકાશ જ, ઘરાકાશ, મહાકાશ, મહાકાશ ઇત્યાદિ ભિન્ન ભિન્ન રૂપે ભાસે છે પરંતુ વાસ્તવિક તો તેમાં ભેદ બિલકુલ છે જ નહિ એટલું જ નહિ પરંતુ આ આકાશ જ વિવર્તરૂપે વાયુ, તેજ, જળ અને પૃથ્વીરૂપે જાણે ધનભાવને પામ્યું નહિ હોય એવી રીતનું જોવામાં આવે છે એટલે ધક તથા જેમ વ્યવહારમાં મનુષ્ય પોતાને હું તથા બીજાને તું કહે છે તેમ સાક્ષીને આ “હું” એ તું જાય છે તેથી તે તેને તું એમ કહીને સંબોધે છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy