SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] આ (આત્મા) વડે જ રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ, મૈથુન વગેરે– [ ૭૦૫ રચનાઓથી રહિત છે, કારણેનાં પણ પરમ કારણરૂપ છે, અનુભવરૂપ છે. અન્યપણથી જણાય તેવું નથી, સ્વયંજ્ઞાનરૂપ તથા સર્વરૂપ છે. છતાં આકાશનો પેઠે તદ્દન અસંગ અને અતિ સૂક્ષ્મતર એવું છે, એમ નિશ્ચયાત્મક સમજ. આપના દ્વિઅર્થી જેવા વચનથી હું શંકાશીલ બન્યો છું. ભગવાનનું આ મુજબનું દૂધમાં અને દહીંમાં એમ બન્નેમાં પગ રાખતું દ્વિઅર્થી જેવું વચન સાંભળીને અર્જુન શકામાં પડી ગયો. તેણે કહ્યુંઃ ભગવન! તમારા આ વિચિત્ર ઢબના વચનોથી તો ઊલટો મારા મનમાં ગૂંચવાડે ઊભે થવા પામ્યો છે. આ આત્મતત્તવ પર પ્રકાશિત નથી, વળી તે સૂર્યચંદ્રાદિને પણ પ્રકાશ કરનાર છે છતાં તે પ્રકાશ્ય કિવા પ્રકાશક અથવા પ્રકાશરૂપ પણું નથી તેમજ નાતાથી પણ રહિત કેવી રીતે છે? તેમ તે જીવ, બુદ્ધિ કિવા મનરૂ૫ અથવા કઈ પણ રૂપ નથી અને સર્વ૨૫ ૫ણ છે, એ મ શી રીતે સંભ? તે મને આપ કૃપા કરીને સમજાવે. અર્જુનનું આ વચન સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હું પાર્થ! હવે તું સારી રીતે પ્રબોધને પામેલ હોવા છતાં નિરર્થક ગૂચવાડામાં કેમ પડે છે? છતાં સૂર્ય જેમ પ્રયત્ન વગર રાત્રીના અંધકારને ભેદી નાખે છે તેમ હું તાકાળ તારી શંકાને છેદી નાખીશ. આવા જ પ્રશ્નો મેં રામાવતારમાં વસિષ્ઠ મહર્ષિને પૂછેલા હતા તેને તે વખતે તેમણે મને જે સમ્યફ ઉત્તર આપ્યો હતો તે હું તને કહું છું કે જેથી તારી તમામ શંકાઓનું નિવારણ થશે પરંતુ તે પૂર્વે સંક્ષેપમાં એટલું જ કહું છું કે આ જ્ઞાતા, પ્રકાશક, જીવ, બુદ્ધિ, મન, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, અગ્નિ ઈત્યાદિ તમામનો પ્રકાશક જે આ આત્મા છે તે પોતે તમરૂપ કેવી રીતે હોઈ શકે ? જેના વડે આ પ્રકાશ છે કિવા આ તમ (અડધા) છે એવું જાણી શકાય છે તે તેને પ્રકાશ, તમ કિયા તેને કાણનાર પૈકીનું જ હોય એમ શી રીતે કહેવાય ? રમ માટીનો ઘડો છો. કોઈ પૂછે કે આ માટીનો ઘડો બનાવનાર કાણુ? તો તે માટી અને તેને ઘડો એ ને જા ગુનાર સાક્ષો પૈકી કોઈ નથી પરંતુ તે કરતાં કંઈ જુદે જ છે એમ વ્યવહારમાં પણ સિદ્ધ થાય છે, અર્થાત્ વ્યવહારમાં પણ જે વસ્તુઓ બનાવવામાં આવે છે તેનો કર્તા તે વસ્તુઓ થકી તદ્દન ભિન્ન એવો જ હોય છે તો પછી જેના વડે આ પ્રકાશક, જ્ઞાતા, જવ, બુદ્ધિ, મન, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, આગ્ન, તેમજ ઇંદ્રિયો અને તેના વિષયને પ્રકાશ આપનારા દેવતાઓ વગેરે જેના આધાર ઉપર આ મતાદિ અન્ય દોને પ્રકાશિત કરી શકે છે તે પ્રકાશક પોતે જ આ દસ્યાદિ પૈકી કોઈ પ્રકારને હેય વિા બિલકલ ન હોય એમ શી રીતે બને ? અરે ! જે કે દીવો તમામ પદાર્થોને પ્રકાશિત કરે છે તેમાં પ્રકાશમાન થયેલા પદાર્થો પૈકી જ કઈ પદાર્થ જેવો જ તે દી છે એવી તુલના શી રીતે કરી શકાય? કિક સધળા પદાર્થોને તે પ્રકાશમાન કરનારો નથી એમ કહેવું પણું શી રીતે સંભવે? વળી તે પોતાથી વિરુદ્ધ ધર્મના પદાર્થોને પ્રકાશમાન કરે છે એમ પણ શી રીતે કહેવાય? શું દી તે કરતાં વિરુદ્ધ ધર્મવાળા અધારાને કદી ઓળખી શકશે ખરો કે? કિવા પ્રકાશમાં અંધારું રહી શકે ખરું કે ? આથી દીવ અંધારાને પ્રકાશમાન કરે છે એમ બનવું કદી શકય નથી, કેમ કે પ્રકાશથી તદ્દન ભિન્ન એવું અંધારું કે જે પ્રકાશ થતાંની સાથે તુરત જ કયાંયે અદશ્ય થઈ જાય છે અર્થાત જે પ્રકાશથી તદ્દન વિરુદ્ધ ધર્મવાળું છે તેને જ પ્રકાશક પ્રકાશમાન કરે છે એમ કહેવું એ “ હું ” કોલસાને કિવા કાજળને સફેદ બનાવી રહ્યો છું એવું કહેનારની જેમ મૂખેપણું લેખાશે. આ ધોરણે સર્વે પ્રકાશકોને પણ પ્રકાશક અને સર્વ પ્રકાશથી રહિત એવું આ સ્વયંપ્રકાશ આમતવ પ્રકાશરૂ૫ કિંવા તમરૂપ કે મન, બુદ્ધિ, જીવ, જ્ઞાતા ઇત્યાદિરૂપે કેમ નથી, તે હવે તારે લક્ષમાં સારી રીતે આવ્યું હશે જ; છતાં બંધની દઢતાને માટે શાસ્ત્રીય કથન તને કહું છું. આત્માનું મહત સ્વાતંત્ર્ય શ્રીમહર્ષિ વસિષ્ઠ શ્રીરામચંદ્ર પ્રત્યે કહે છે કે, હે વસ! મહાન. પ્રલયમાં આ બ્રહ્માંડાદિ તમામ દસ્યશાળ જાગૃત થતાં સ્વપ્ન કિયા પ્રકાશ થતાં અંધકાર કયાં નાસી જાય તે જેમ સમજાતું નથી, તેમ એકદમ કયાંય અલોપ થઈ જાય છે તે જાણ શકાતું નથી અને તે વખતે ફક્ત વ્યવહારમાં સમજાવવા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy