SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિદો આત્મપ્રાપ્તિના માર્ગને અતિ દુર્ગમ કહે છે માં ૯ ગૌતદેહન] બાળક કિવા મૂંગાઓ વગેરેના જ્ઞાન જેવું પ્રાકૃત એટલે પિટિયું કિયા પુસ્તકિયું હોય તે જ્ઞાન તમે ગુણ સમજવું તથા આત્મસ્વરૂપ એવા મારું અપરોક્ષ અનુભવસિદ્ધ જ્ઞાન થવું તે નિર્ગુણ જ્ઞાન સમજવું. સત્યાદિનાં વાસ્તવ્ય સ્થાનકે વનમાં રહેવું એ સત્ત્વગુણ વાસ છે, ગામમાં રહેવું એ રજોગુણો વાસ છે તથા જુગારસ્થાનમાં રહેવું તે તમોગુણ વાસ છે, એમ સમજવું તથા પવિત્ર દેવાલયાદિ જેવા શુભ અને એકાંતિક પવિત્ર સ્થાનોમાં રહેવું તે નિર્ગુણ વાસ છે. સત્ત્વાદિ ગુણેનું કર્તવ્યપણું આસક્તિ રહિત થઈને જે કર્મ કરે છે તેને સત્વગુણ કર્તા સમજવો. આસકિતમાં અત્યંત આંધળે બનીને કર્મ કરે છે તે રજોગુણ કર્તા સમજવો તથા પૂર્વાપરની રકૃતિથી ભ્રષ્ટ થઈને જે કર્મ કરે છે તેને તમોગુણી કર્તા સમજો અને જે કેવળ આત્મરૂપ એવા મારું જ શરણ લઈ કર્મ કરતો હોય તેને નિર્માણ કર્તા સમજવો. સત્ત્વાદિ શ્રદ્ધાઓ કેવળ વેદાંતશાસ્ત્રમાં જ શ્રદ્ધા હેવી તે સાત્વિક શ્રદ્ધા છે, જેઓની કર્મ કરવામાં જ શ્રદ્ધા હોય તે રાજસી તેમજ વગર સમજે પારકાઓનું આંધળું અનુકરણ કર્યું જતું, તથા અધર્મને જ ધર્મ સમજીને તે ઉપર જે શ્રદ્ધા રાખવી તે તમેyી શ્રદ્ધા સમજવી અને આત્મરૂપ એવા મારી સેવામાં જ જે શ્રદ્ધા થાય છે તે નિર્ગુણ શ્રદ્ધા સમજવી. સવાદિ આહાર હિતકારી, પવિત્ર એ જે અનાયાસે જ પ્રાપ્ત થાય તે આહાર સત્ત્વગુણી સમજવો; ઈદ્રિયોને જ અત્યંત પ્રિય લાગે તે અને કેવળ ભેગની ઈચ્છાથી ખાટો, તીબે, ખારો, મીઠા, વગેરે ઇંદ્રિયની ચિને માટે જ ખાવામાં આવે છે તે રાજસ અને જે આહાર દીનના કરાવનારે હાઈ અશુદ્ધ હોય તે તામસ કહેવાય છે તેમજ જે શુદ્ધ આહાર આમસ્વરૂપ એવા મને અર્પણ કરવામાં આવ્યો હોય તે નિર્ગુણ કહેવાય છે. સત્તાદિ સુખ આત્માનું સુખ તે સાત્વિક, વિષષોથી થનારું સુખ તે રાજસ તથા કરૂણા, દયાહ્નતા વા દીનતાથી ઉત્પન્ન થનારું જે સુખ તે તામસ કહેવાય છે તેમ જ આત્મસ્વરૂપ એવા મારી સાથે તન્મયતા થઈ જવાથી થનારું જે આત્યંતિક સુખ તે નિર્ગુણ છે. તમામ દય સત્તાદિ ગુણે વડે જ ભાસે છે ઉપર મુજબ આહારાદિક પદાર્થો, વનાદિક સ્થળ, સુખરૂપ ફળ, સસ્વાદિ ગુણો, બીજ બે ગુણોને દબાવવાનો સમય ઇત્યાદિ કાળ, જ્ઞાન, કર્મ, કર્તા, શ્રદ્ધા, જમ્રતાદિ અવસ્થા દેવ૫ણું આદિ આકૃતિ અને સ્વર્ગાદિક પ્રાપ્તિ૨૫ નિષ્ઠા વગેરે તમામ ત્રણ ગુણુ વડે યુક્ત છે. હે પુરુષશ્રેષ્ઠ! કેવળ આ ઉપર જણાવેલા પદાર્થો જ ત્રણ ગુણ વડે યુક્ત છે એમ નથી પરંતુ જે જે કાંઈ જોવામાં આવે છે, સાંભળવામાં આવે છે, શું વડે નિમય કરવામાં આવે છે તથા મન વડે સંકલપ કરવામાં આવે છે તે તમામ દયાદર્ય પદાર્થો અને ભાવ ત્રણ ગોવાળા છે (સાંક ૩ થી ૧૫ જુનો). જીવાત્માને દેવ, મનુષ્પ વગેરે સર્વ સ્થાવરજંગમ જન્મો, ગણ તથા કર્મોના અભિમાન વડે જ પ્રાપ્ત થાય છે તથા તે સર્વે ચિત્તમાં જ પ્રકટે છે. હું સૌમ્ય ! જીવાત્માએ ચિત વડે કાપેલા એ ગુને જેસે જીત્યા હોય તે છ જ અવિચ્છિન્ન એટલે હંમેય આત્મામાં જ એપ લઈ રહેવાય તેવા પ્રકારની અખંડ ભક્તિ વડે આત્મસ્વરૂપ એવા મારામાં જ નિષ્ઠા પામીને
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy