SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ દર]. તાત બાસ્મનિ ૨૦. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ ૧૪/૧૩ सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते । ज्ञान यदा तदा विद्यादिवृद्धं सत्त्वमित्युत ॥११॥ સત્ત્વગુણના ઉદયનાં લક્ષણે દેહમાંના સર્વ કારોમાં જ્યારે સર્વ બાજુએથી જ્ઞાનરૂપ પ્રકાશને જ ઉદય થાય છે ત્યારે શુદ્ધ સત્વગુણની વૃદ્ધિ થયેલી છે એમ જાણવું. અર્થાત જેમાં શુદ્ધ સત્ત્વગુણનો ઉદય થયો હોય તેને દેહમાંના બેકાન,બે નાકનાં છિદ્ધો, બે આંખો, એક મોટું, ગુદા અને શિશ્ન એ નવ ધૂળ કારોમાં તથા જ્ઞાનેન્દ્રિયોને શબ્દ, સ્પર્શ, ૨૫, રસ અને ગંધ એ પાંચ વિષયો તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણ ચતુષ્ટય મળી નવ સકમ ઠારેમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. જ્યારે જ્ઞાન એટલે આ સર્વ આત્મા જ છે એવી રીતને દૃઢ નિશ્ચય થઈ આ સૂક્ષમ નવ દ્વારમાં સંપૂર્ણ વૈરાગ્ય ઉપજી આત્મા સિવાય બીજી કોઈ પણ વિષયવૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે એટલે તેમાં સગુણનો ઉદય થયો છે, એમ જાણવું. આમાં ભગવાને શુદ્ધ સત્ત્વગુણના ઉદયનાં લક્ષણે કહેલાં છે. સૂમ ઇંદ્રિાનો પ્રેરણા વડે જ સ્થળ ઇંદ્રિય વ્યાપાર કરી શકે છે, એ નિયમ છે. તેથી સક્ષમ ઈદ્રિયોની આત્મામાં એકાગ્રતા થઈ એટલે તમામ રધૂળ વ્યવહારને પણ તેમાં સમાવેશ થઈ જાય છે. આ રીતના શુદ્ધ સત્ત્વગુણના ઉદયનાં લક્ષણે સમજવાં. लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा । रजस्येतानि जायन्ते विबुद्धे भरतर्षभ ॥१२॥ રજોગુણની વૃદ્ધિનાં લક્ષણે હે ભરતષભ ! જયારે રજોગુણની વૃદ્ધિ થવા પામે છે ત્યારે લોભ, પ્રવૃત્તિકને આરંભ, અશમ એટલે મનનો નિગ્રહ નહિ હેવો તે, અશતિ તથા અનેક પ્રકારની વૈષયિક ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે એટલે છે. તેની તમામ પ્રવૃત્તિઓ લોભથી ભરપૂર હોય છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ જ કર્યા કરવી એ તેને વધ પ્રિય લાગે છે. તે હંમેશાં નવીન નવીન કર્મો કે જેમાં કામ્ય, નિષિદ્ધ અને લૌકિક ઇત્યાદિને જ સમાવેશ થાય છે તેવાં કર્મોના સમારંભે જ કર્યા કરે છે અને તે વડે લેકેષણ મેળવી કિંવા લકે તરફથી પ્રતિષ્ઠા મેળવી રાજી થાય છે. અશમ એટલે મનાદિ ઈદ્રિયોને કિંચિત્માત્ર પણ સંયમ જેમાં હેત નથી ત: નિત્યપ્રતિ અનેક પ્રકારના કર્મો કરવા સંબંધીના વિચારો જ કર્યા કરવા, આજે આ કર્યું, કાલે અમુક કરીશ, ઇત્યાદિ એક પછી એક અનેક કાર્યોનું મનવડે ચિંતન કર્યા કરવું, આ રીતની અનેક પ્રકારની વૈષયિક ઇચ્છાને લીધે તેની કદી પણ તૃપ્તિ થતી નથી. તે નિત્યપ્રતિ ઉદ્વેગ જ કર્યા કરે છે, એટલું જ નહિ પરંતુ માનસિક ચિંતાઓને લીધે તે હંમેશા અશાંત જ રહે છે. આમ અનેક પ્રકારની ઇચ્છા અને બીજાઓની સાથે પરસ્પર સ્પર્ધા જ ર્યા કરવી, અમુક કરતાં હું વધુ શ્રીમાન થઈશ, અમુક મારાથી કનિષ્ઠ છે ઇત્યાદિ પ્રકારની ઈર્ષાયુક્ત માન્યતા વડે પરધનાદિ તથા અનેક વિષયભેગાદિની ઇચ્છાઓ થવી વગેર, આ સર્વગુણેનું પ્રાબલ્ય રજોગુણની વૃદ્ધિ થયે વધેલું જોવામાં આવે છે. કાગડબરિય કુમારે જ રા तमस्येतानि जायन्ते विवृद्ध कुरुनन्दन ॥१३॥
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy