SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ દર૬] નવ વિજ્ઞાનવાયુ જોર નર મા [ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગીર અ૦ ૧૩૭ હોઈ શકે? અહીં જે જે કલ્પના, જે જે શબ્દ, જે જે અર્થ અને જે જે વાપે છે, તે સઘળાં બ્રહ્મથી જ થયેલાં છે અને બ્રહ્મરૂપ જ છે. બ્રહ્મતિરિક્ત કાંઈ છે જ નહિ એમ સમજવું. જેમ અગ્નથી ઉત્પન્ન થયેલો અગ્નિ પણ અગ્નિ જ છે, તેમ જે પદાર્થ જે થી ઉત્પન્ન થયો હોય તે તે રૂ૫ જ છે. આ ઉત્પન્ન કરનાર છે અને આ ઉત્પન્ન થયેલ છે, એવું જે કહેવામાં આવે છે, તે બધું તે કેવળ ભેદની કલ્પના કરીને જ $વામાં આવે છે. આ જગતમાં અમુક પદાથથી અમુક પદાથે ઉત્પન્ન થયા છે, એવા જે કાર્યો કારણુરૂપ વ્યવહાર ચાલે છે, તે તે આમસ્વરૂપ એવા એક પદાર્થમાં પોતે પોતામાં અનેક સ્વરૂપ બનાવવાની જે છે તેને જ એક જાતને વિવર્તરૂપ ચિત ચમત્કાર છે. માટે જ આ એકમેવ એ આત્મા છે, તે જ ઉત્પન્ન કરનાર અને ઉત્પન્ન થયેલ એમ બે પ્રકારે ભાસે છે. “આ પદાર્થ જુદો છે અને એ પદાર્થ જુદ છે” એ રીતે નામરૂપના વ્યવહારનો શ્રમ તે કેવળ બેલવા માત્ર જ છે પણ વાસ્તવિક રીતે પરમાત્મામાં તે નથી, છે જ નહિ કેમકે જે પરમાત્મામાં એ ભેદ હોત તે તેનું અખંડપણે તૂટી જાત, વરતુતઃ પરમાત્મારૂપ એવું આ મન જ ક્રિયાશકિતથી ઉત્પન્ન થયું છે અને તેવા મનની શક્તિથી આ બધા નામનો વ્યવહાર ચાલે છે તથા તે નામને વ્યવહારમાં દઢ અભ્યાસ થવાથી બાજો બધો વ્યવહાર વાસ્તવિક બ્રહ્મરૂપ હોવા છતાં જાણે તે કરતાં બીજો જ હોય એમ જુદાપણાવડે ભાસી રહ્યો છે. આ રીતે એક શિલામાંથી બીજી ઉત્પન્ન થઈ એમ બેલવું એ એક જાતની બોલવાની જ વિચિત્રતા છે પરંતુ તેના અર્થમાં કાંઈ સત્યતા નથી; તેથી પરમાત્મામાંથી અમુક ઉત્પન્ન થયું છે અને પરમાત્માએ અમુકને ઉત્પન કર્યું ઇત્યાદિ જે જે કાંઈ કહેવામાં આવે છે, તે બધું એક જાતની બોલવાની જ વિચિત્રતા છે પરંતુ તેના અર્થમાં કાંઈ સત્યતા નથી. પરમાત્મામાં જન્ય કિંવા જનકભાવની ઉક્તિઓ સંભવતી નથી. પરમાત્મા એક જ હાઈ સર્વત્ર પરિપૂર્ણ છે. માટે કયા પદાર્થોને ઉત્પન્ન કરે અને કેમ કરે ? એકમાંથી બીજની અને બીજા વાજાની ઉત્પત્તિ થાય છે એમ કહેવું એ તો કેવળ એક જાતને વાણીને વિલાસમાત્ર જ છે, છતાં તેમ કહેવાથી પણ મૂળ તવમાં કાંઈ વિરોધ કે સંખ્યા આદિ ભેદ પડવો શક્ય નથી. સમુદ્રમાં જોવામાં આવતા તરંગોના કલેલો જેમ સમુદ્રરૂપ જ છે તેમ આ પરમાત્મા કિંવા બ્રહ્મમાં જોવામાં આવતાં નામરૂપાદિ તમામ બ્રહ્મસ્વરૂપ જ છે, એ અપરોક્ષાનુભવી બ્રહ્મનિષ્ઠ વિદ્વાનોએ નિશ્ચય કરેલ છે. જીવ, ઈશ્વર, માયા ઇત્યાદિ તમામ બ્રહ્મ છે જીવ બ્રહ્મ છે, મને બ્રહ્મ છે, બુદ્ધિની વૃત્તિઓ બ્રહ્મ છે, સઘળા પદાર્થો બ્રહ્મ છે, તે તે પદાર્થોનાં નામો પણ બ્રહ્મ છે, ઈશ્વર પણ બ્રહ્મ છે, અહંકાર તથા પાંચ મહાભૂતાદિ સઘળાં તવો પણ બ્રહ્મ જ છે. આ તમામ જગત બ્રહ્મ હોવા છતાં જેમ દોરડી સર્ષથી જુદી ભાસે છે, તેમ બ્રહ્મ જગતથી જ ભાસે છે, વાસ્તવિક તો આ જગત આદિ કાંઈ પણ છે જ નહિ, પરંતુ જગતદિરૂપે જે જે કાંઈ ભાસે છે, તે સઘળું બ્રહ્મ જ છે. આ બ્રહ્મારૂપ પરમાત્મામાં આ પદાથે અન્ય છે અને આ પદાર્થ અન્ય નથી એવી રીતના વિભાગોની કલ્પના કરીને જે જે બોલવું તે બધું એક જાતની અજ્ઞાનરૂપ બ્રાંતિમાત્ર જ છે. વાસ્તવિક રીતે તો એ મુજબ બોલવામાં શી સત્યતા છે? જેમ અગ્નિમાં અગ્નિશિખા (જવાળા) છે તેમ બ્રહ્મમાં જગત છે. જેમ અતિ અને તેની શિખામાં બિલકુલ ભેદ નથી તેમ બ્રહ્મ અને જગતમાં પણ ભેદ નથી, આમ હાવા છતાં પણ જે ભિન્ન ભિન્ન પદાર્થોની કલ્પના થયેલી છે, તે સાવ મિથ્થા હેઈ મનની ચપળતા વડે જ છે, તે કેવળ ભ્રાંતિમાત્ર જ છે. બ્રહ્મ નિત્ય, સિદ્ધ અને ફૂટસ્થ છે, તેમાં કોઈ પણ પ્રકારનો ભેદ સિદ્ધ થતા નથી. જેમ નેત્રદોષને લીધે ચંદ્રમાના બેપણાનું જ્ઞાન થાય છે તથા તે જ્ઞાન વડે બે ચંદ્ર છે એમ કહેવામાં આવે છે પણ તે સર્વ મિથ્યા જ છે, તેમ અજ્ઞાનરૂપ દેષથી આત્મામાં પદાર્થોના ભેદનું જ્ઞાન થાય છે અને તે અજ્ઞાનયુકત જ્ઞાનવડે “આ પદાર્થો જુદા જુદા છે” એમ કહેવામાં આવે છે પણ એ સવળું મિથ્યા જ છે. જેમ દોષવાળાઓને એક ચંદ્ર જ બે રૂપે પ્રતીત થાય છે, તેમ અજ્ઞાન વડે જ બ્રહ્મમાં મિથ્યા બેપણું હેવાનું ભાસે છે. બ્રહ્મસ્વરૂપ સર્વરૂપ છે, સર્વવ્યાપક છે અને આદિ અંત વગરનું જ છે. તેનાથી જુદું
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy